Mumbai Lok Sabha constituency: મહાવિકાસ આઘાડીની બેઠક ફાળવણી પર ચર્ચા અંતિમ તબક્કે, મુંબઈમાં ઠાકરે જૂથ હવે આ ચાર બેઠકો પરથી લડી શકે છે ચૂંટણી..

Mumbai Lok Sabha constituency: લોકસભાની ચૂંટણીની જાહેરાત થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે હવે ઠાકરે જુથ આ વર્ષે ચાર બેઠકો પર ચૂંટણી લડી શકે તેવી શક્યતા છે. તેથી આગામી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પૂર્વ મુંબઈમાં જોરદાર જંગ જોવા મળે તેવી સંભાવના છે.

by Bipin Mewada
The debate on Mahavikas Aghadi seat allocation is at a final stage, the Thackeray group in Mumbai can now contest from these four seats in the election

News Continuous Bureau | Mumbai    

Mumbai Lok Sabha constituency: દેશમાં લોકસભાની ચૂંટણીનીજાહેરાત થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ પૃષ્ઠભૂમિમાં મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીની ( Maha vikas aghadi ) બેઠક ફાળવણીની ચર્ચાએ જોર પકડ્યું છે . બેઠકોની વહેંચણીની ચર્ચા અંતિમ તબક્કામાં છે અને એવું જાણવા મળી રહ્યું છે કે, મહાવિકાસ અઘાડીના નેતાઓ વચ્ચે 8 લોકસભા બેઠકો ( Lok Sabha seats ) સિવાય બાકીની 40 બેઠકો પર કોણ ચૂંટણી લડે તે અંગે હવે સર્વસંમતિ સધાઈ છે. જેમાં ઠાકરે જૂથના ( Thackeray group ) હિસ્સામાં 18 લોકસભા બેઠકો ( Lok Sabha Election 2024 ) આવે તેવી શક્યતા છે. આમાંથી ચાર લોકસભા સીટ મુંબઈની હોવાનું કહેવાય છે. ગયા વર્ષે માતોશ્રી પર મળેલી સમીક્ષા બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ મુંબઈની છમાંથી ચાર બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ઠાકરે જૂથે જ્યારે ભાજપ ( BJP ) સાથે ગઠબંધન કર્યું હતું. ત્યારે મુંબઈમાં માત્ર 3 ઉમેદવારો જ ઊભા રાખ્યા હતા. પરંતુ હવે આ વર્ષની ચૂંટણીમાં ઠાકરે જૂથ મુંબઈની વધુ એક બેઠક પર ઉમેદવાર ઊભો કરે તેવી શક્યતા છે. ઉત્તર-પૂર્વ મુંબઈ મતવિસ્તાર, જે ભાજપના નેતા કિરીટ સોમૈયાનું ગઢ છે, જે અત્યાર સુધી ભાજપનો હિસ્સો હતો. જેમાં હવે આ વર્ષે ઠાકરે જૂથ ભાંડુપ મતવિસ્તારમાંથી પોતાનો ઉમેદવાર ઉતારશે. જ્યાં ઠાકરે જૂથના ફાયરબ્રાન્ડ નેતા સંજય રાઉત પણ રહે છે. હાલમાં અહીં મનોજ કોટક આ મતવિસ્તારના સાંસદ છે. તેથી, આગામી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પૂર્વ મુંબઈમાં જોરદાર જંગ જોવા મળે તેવી શક્યતા છે.

 ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં 18 લોકસભા મતવિસ્તારોમાં સંયોજકોની નિમણૂક કરી છે…

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઠાકરે જૂથ દક્ષિણ મુંબઈ, દક્ષિણ મધ્ય મુંબઈ, ઉત્તર પશ્ચિમ મુંબઈ અને ઉત્તર પૂર્વ મુંબઈ એમ ચાર મતવિસ્તારોમાં ઉમેદવારો ઊભા કરશે. ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં 18 લોકસભા મતવિસ્તારોમાં સંયોજકોની નિમણૂક કરી છે. જેમાં સુધીર સાલ્વી, દક્ષિણ મુંબઈ માટે સત્યવાન ધેલે, દક્ષિણ મધ્ય મુંબઈ માટે રવિન્દ્ર મિર્લેકર, ઉત્તર પશ્ચિમ મુંબઈ માટે વિલાસ પોટનિસ અને ઉત્તર પૂર્વ મુંબઈ માટે દત્તા દળવીને સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે BMCને ગેરકાયદે હોર્ડિંગ્સ પર આપ્યો ઠપકો, રાજ્યના તમામ રાજકીય પક્ષોને પાઠવી નોટીસ.. જાણો શું છે આ મામલો..

દક્ષિણ મુંબઈ, દક્ષિણ મધ્ય મુંબઈ, ઉત્તર પશ્ચિમ મુંબઈ અને ઉત્તર પૂર્વ મુંબઈ એમ ચાર મતવિસ્તારમાં ઠાકરે જૂથ કોને ઉમેદવાર બનાવશે તે અંગે રાજકીય વર્તુળોમાં હાલ ઉત્સુકતા છે. તેમાંથી માત્ર દક્ષિણ મુંબઈના વર્તમાન સાંસદ અરવિંદ સાવંતને જ ફરીથી ઉમેદવારી મળી શકે છે. દક્ષિણ મધ્ય મુંબઈથી ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ સાથી તરીકે ઓળખાતા અનિલ દેસાઈ લોકસભાના મેદાનમાં ઉતરશે. અગાઉ તેઓ રાજ્યસભાના સાંસદ હતા. તો ઉત્તર પશ્ચિમ મુંબઈથી અમોલ કીર્તિકર શિંદે જૂથમાં જોડાયેલા તેમના પિતા ગજાનન કીર્તિકર સામે ચૂંટણી લડશે. દરમિયાન પૂર્વોત્તર મુંબઈથી સંજય દિના પાટીલ ઠાકરે જૂથના ઉમેદવાર હોઈ શકે છે. જેમાં સંજય દિના પાટીલ અગાઉ એનસીપીની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More