મીરા-ભાઈંદરમાં ડેપ્યુટી મેયરે કોરોનાના દર્દીઓની સહાય માટે આપ્યા ૩૦ લાખ રૂપિયા; જાણો વિગત…

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૧ મે ૨૦૨૧

મંગળવાર

મીરા-ભાઈંદરમાં કોરોના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. એક તરફ, જ્યારે મહાનગરપાલિકા પહેલેથી જ આશરે ૫૦૦ કરોડના દેવામાં ડૂબી ગઈ છે, ત્યારે મીરા ભાઈંદરના ડેપ્યુટી મેયર હસમુખ ગહલોતે કોરોના દર્દીઓને તેમના કોર્પોરેટર ફંડમાંથી ૧૫ લાખ અને ડેપ્યુટી મેયરના ભંડોળમાંથી ૧૫ લાખ આપ્યા છે. એમ કુલ ૩૦ લાખ રૂપિયા સહાયરૂપે આપ્યા છે. આ બાબતે પાલિકા આયુક્ત દિલીપ ધોલેને પત્ર લખી તેમણે આ માહિતી આપી હતી.

કોરોનાના ગંભીર દર્દીઓના વિવિધ પરિક્ષણ અને ઉપચાર જેમ કે સીટીસ્કેન, ઓક્સિજન અને વેન્ટિલેટર જેવી સુવિધા પાલિકા દર્દીને સ્વખર્ચે કરાવવા દબાણ કરતી હોય છે. હવે જે દર્દીઓ આ ખર્ચ ઉપાડી શકે તેમ નથી તેમના માટે હસમુખ ગહલોતે આ રકમ આપી છે. મૂળભૂત રીતે વોર્ડમાં કેટલાક નોંધપાત્ર કામ કરવા માટે દરેક કોર્પોરેટરને દર વર્ષે યોગ્ય ભંડોળ આપવામાં આવે છે. ગયા વર્ષે, દરેક કોર્પોરેટરનું ફંડ ૧૨.૫ લાખ હતું, આ વર્ષે તેને વધારીને ૧૫ લાખ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે નગરસેવકો આ ભંડોળનો ઉપયોગ બેંચ, ચૌ, ફૂટપાઠ અને બ્યુટીફીકેશન માટે કરે છે. તેવામાં ડેપ્યુટી મેયરની આ પહેલની લોકોએ સરાહના કરી છે.

રાજનૈતિક સવાલ પૂછાયો : મુંબઈ શહેરમાં સંક્રમણ વધે તો લોકો જવાબદાર અને ઘટે તો ઠાકરે સરકારના સારા કામ!!! આવું કેમ?

ઉલ્લેખનીય છે કે હસમુખ ગહલોતે ગયા વર્ષે પ્રથમ લહેર વખતે પણ બંને ભંડોળમાંથી કુલ ૨૫ લાખ રૂપિયા સહાયરૂપે આપ્યા હતા.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More