Site icon

લોકલ ટ્રેન સંદર્ભે આગામી આઠ દિવસમાં છેલ્લો નિર્ણય લેવાશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૦ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

કોરોનાની સંભવિત ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં લેતાં, મુંબઈ મહાનગરપાલિકા પહેલાંથી જ જરૂરી પગલાં લઈ રહી છે. ત્રીજી લહેર સામે અસરકારક રીતે લડવા માટે આરોગ્ય સુવિધાઓના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ આ અંગે માહિતી આપી હતી અને લોકલ ક્યારે બધા માટે ખુલ્લી મુકાશે એ અંગે પણ વાત કરી હતી.

મુંબઈમાં 50 ટકાથી વધુ વસ્તીએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે ૧૫ ટકાથી વધુ લોકોએ બંને ડોઝ લીધા છે, જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેમને થોડી છૂટ આપવાની વિચારણા કરવામાં આવી રહી છે અને આગામી આઠ દિવસમાં ચોક્કસ છૂટછાટ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે, એમ કાકાણીએ જણાવ્યું હતું.

વરસાદ શરૂ થયો અને મુંબઈવાસીઓ ઘેલા થયા; ભૂસી ડૅમ પાસે ભયંકર ભીડ, જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે બંને ડોઝ લઈ લીધેલી વ્યક્તિને લોકલમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવાની માગ લોકો છેલ્લા કેટલાક સમયથી કરી રહ્યા છે. જોકે લોકલ અંગેના સવાલમાં કાકાણીએ કહ્યું હતું કે તે નિર્ણય સંપૂર્ણપણે રાજ્ય સરકારના હાથમાં છે. હવે તેમના આ નિવેદનથી એવી અટકળો વધી છે કે લોકલ ટ્રેનમાં જેમને રસીના બંને ડોઝ મળી ગયા છે તેવા લોકોને જવાની પરવાનગી મળશે.

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version