Site icon News Continuous Bureau | Mumbai

તાઉતે વાવાઝોડાના કારણે ગેટ વે ઑફ ઇન્ડિયાને પણ થયું નુકસાન; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

તાઉતે વાવાઝોડાના કારણે મુંબઈ અને ગુજરાતમાં અનેક ઠેકાણે નુકસાન થયું છે. મુંબઈના દરિયાઈ પ્રવેશ દ્વાર તરીકે જાણીતા ગેટ વે ઑફ ઇન્ડિયાને પણ એનાથી નુકસાન થયું છે. વાવાઝોડાને કારણે ઇમારતની નજીક રહેલી સમુદ્રનાં મોજાંનો સામનો કરતી સલામતીની દીવાલ અને લોખંડનો દરવાજો તૂટી પડ્યો હતો. આયર્ન બેરીકેડને પણ ખરાબ રીતે નુકસાન થયું હતું.

ઉપરાંત આ વિસ્તારમાં દરિયાઈ કાટમાળ, કાદવ અને રેતી ચારે બાજુ ફેલાયેલાં છે. દરમિયાન, મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે તુરંત જ પરિસરની મુલાકાત લીધી હતી અને મુંબઈ પૉર્ટ ટ્રસ્ટના સ્થળનું ઑડિટ કરવાની સૂચના આપી હતી. કોરોનાને કારણે લાદવામાં આવેલા કડક પ્રતિબંધ અને તોફાનની ચેતવણીને કારણે મુંબઈગરાઓ ઘરે જ રહ્યા હતા, એથી મોટી જાન હાનિ ટળી હતી. જોકેમુંબઈના કોરોના સેન્ટર, રસીકરણ કેન્દ્રો અને સેંકડો વૃક્ષો અને પક્ષીઓ અસરગ્રસ્ત થયાં હતાં.

ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે એ ડિવિઝનનાં સહાયક કમિશનર ચંદા જાધવ અને પાલિકા પ્રાચીન સંરક્ષણ સમિતિના સંજય સાવંત ઉપસ્થિત રહ્યાં હતાં. દરમિયાન મેયરે બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં જમ્બો કોરોના સેન્ટરનું નિરીક્ષણ પણ કર્યું હતું.

Cyber Fraud Gang Busted સાવધાન! એપીકે (APK) ફાઈલ દ્વારા ૪૩ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસ દ્વારા ૬ ઠગોની ધરપકડ
Mumbai Illegal Schools બોગસ સ્કૂલો પર શિક્ષણ વિભાગની મોટી સર્જિકલ સ્ટ્રાઈક! મુંબઈના કયા વિસ્તારમાં છે સૌથી વધુ ગેરકાયદેસર શાળાઓ?
Best Monsoon Getaways in Maharashtra વરસાદી મહારાષ્ટ્રની સફર પ્રકૃતિના ખોળે રમવા માટેના ૮ અદ્ભુત અને શ્રેષ્ઠ સ્થળો
BEST Financial Crisis બેસ્ટની તિજોરી ખાલી નિવૃત્ત કામદારોના લેણાં અને આર્થિક સંકટ ને પહોંચી વળવા પાલિકા પાસે ૩,૯૪૧ કરોડની માંગ
Exit mobile version