Site icon

મુંબઈ રેલવે પ્રશાસનનો ગજબ કારભાર; પ્રવાસીઓની સંખ્યા ઘટી એટલે તમામ રેલવે સ્ટેશને પંખા બંધ કરી દીધા, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

હાલમાં મુંબઈ રેલવે પ્રશાસને અંગત રીતે ગજબનો નિર્ણય લઈ અને એને અમલમાં મૂકી દીધો છે. પ્રવાસીઓની સંખ્યા ઘટતાં મુંબઈનાં તમામ રેલવે સ્ટેશન પર પંખા બંધ કરી દેવાયાં છે. બોરીવલીમાં રહેતા ભાવેશભાઈએ આ અંગે ટ્વિટર પર રેલવેને મરીન લાઇન્સ સ્ટેશને કાળઝાળ ગરમીમાં પંખા કામ ન કરતાં હોવાની ફરિયાદ કરી હતી.

આ ફરિયાદ અંગે રેલવે પ્રશાસને આશ્ચર્યજનક જવાબ આપ્યો હતો. પશ્ચિમ રેલ્વેના ડિવિઝનલ રેલવે મૅનેજરે-રેલવેના મુંબઈ વિભાગના સત્તાવાર ટ્વિટર ઍકાઉન્ટ દ્વારા જવાબ અપાયો હતો કે “લૉકડાઉન અને મુસાફરોના ઓછા ધસારાને કારણે વીજળી બચાવવા માટે વિદ્યુત ઉપકરણોને જ્યારે મુસાફરોની મોટા પ્રમાણમાં સંખ્યા હોય ત્યારે જ શરૂ કરવામાં આવે છે.”

ગુજરાતમાં નવાજૂનીનાં એંધાણ, લેઉવા અને કડવા પટેલની સંયુક્ત બેઠક મળી; આમ આદમી પાર્ટીનાં વખાણ થયાં

આ જવાબ જોતાં ભાવેશભાઈ ચોંકી ગયા હતા. ઉપરાંત આ નિર્ણય પર કટાક્ષ કરતાં એક ટ્વિટર યુઝરે કમેન્ટ કરી કે “આશા છે કે તમારી દરેક ઑફિસમાં આ જ પ્રોટોકોલ લાગુ પડે છે, ઓછી હાજરીને કારણે પંખા/એસી આ ગરમ મોસમમાં પણ બંધ રાખવામાં આવે છે.”

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version