Site icon

વાવાઝોડાને કારણે તૂટી પડેલાં વૃક્ષો હજી ત્યાંનાં ત્યાં જ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

તાઉતે વાવાઝોડાને કારણે માયાનગરી મુંબઈમાં અનેક જગ્યાએ વૃક્ષો તૂટી પડ્યાં હતાં. જમીનદોસ્ત થયેલાં આ વૃક્ષોને લીધે કેટલાક મુંબઈગરાઓની માલમતાને નુકસાન પહોંચ્યું હતું, તો કેટલીક જગ્યાએ રસ્તા બ્લૉક થઈ ગયા હતા.

વાવાઝોડાને કારણે મુંબઈમાં ત્રણ જ્યારે થાણે, પાલઘર જિલ્લામાં પાંચ નાગરિકોનાં મોત થયાં હતાં. સીએસ‌એમટી અને કલ્યાણ સેક્શનના ઓવરહેડ વાયર પર ઝાડ તૂટી પડ્યું હોવાને લીધે ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો. વળી ક્યાંક દુકાનોનાં હોર્ડિંગ્સ અને બૅનર પણ વૃક્ષોનાં શિકાર બન્યાં હતાં.

આટલી આપદા થઈ હોવા છતાં નોંધવા જેવી વાત એ છે કે બૃહદ્ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને હજી સુધી અનેક ઠેકાણેથી ખાસ કરીને રસ્તા પર તૂટી પડેલાં વૃક્ષો હટાવ્યાં નથી, જેને લીધે સામાન્ય જનતાને અવરજવરમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

સુધરાઈ ક્યારે જાગશે અને ક્યારે આ દિશામાં કામ કરશે એ તો તેઓ જ જાણે, પણ નાગરિકોને તકલીફ થઈ રહી છે એ વાત પાક્કી.

Mumbai Local Train Scam: મુંબઈ લોકલ ટ્રેન સ્કેમ: વિક્રોલી સ્ટેશન પર નકલી પાસ સાથે ૨૨ વર્ષીય યુવક ઝડપાયો, TC ની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
Mulund Police Station: મુલુંડમાં રિક્ષા ચાલકનો આતંક: પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલના હાથ પર જોરથી બટકું ભરી લીધું
Wadala Drug Bust: વડાલામાં ઈલેક્ટ્રિશિયનની આડમાં ચાલતા ગાંજાના રેકેટનો પર્દાફાશ: ૨૦.૭ કિલો જથ્થા સાથે એકની ધરપકડ
Theft at Powai Hotel: પવઈની હોટલમાં ફિલ્મ ડાયરેક્ટરના રૂમમાં ચોરી: કર્મચારી ₹5.3 લાખની ચાંદી અને રોકડ લઈને ફરાર
Exit mobile version