મુંબઈમાં ખળભળાટ મચાવનાર આ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હજી શરૂ નથી થઈ સુનાવણી; ઘટનાને પૂર્ણ થયા દસ વર્ષ, જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ જુલાઈ, ૨૦૨૧

બુધવાર

દસ વર્ષ પૂર્વે થયેલા મુંબઈના ટ્રિપલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં હજી સુનાવણી શરૂ થઈ નથી. મુંબઈના ભીડવાળા વિસ્તારમાં થયેલા આ હુમલામાં કુલ ૨૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો, તો ૧૨૭ લોકોને ઈજા થઈ હતી. મુંબઈમાં ખળભળાટ મચાવનાર આ ગંભીર કેસનો ખટલો કોર્ટમાં હજી શરૂ થયો નથી. ગત વર્ષે કોરોના મહામારીને કારણે આ મામલાની તપાસને પાછળ ધકેલાઈ હતી. આ કેસના આરોપીઓને ચાર જુદી-જુદી જેલમાં રાખવામાં આવ્યા છે.

મુંબઈના ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરના કબૂતરખાના પાસે દસ-દસ મિનિટના અંતરે ૧૩ જુલાઈ ૨૦૧૧ના રોજ બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. ઍન્ટી-ટેરરિઝમ સ્ક્વૉડ(ATS)એ આ મામલે ૨૦૧૨માં પહેલી ધરપકડ કરી હતી. ATSનો દાવો હતો કે યાસીન ભટકલનાનેતૃત્વમાં ઇન્ડિયન મુજાહુદ્દીનના ટોચના આતંકીઓએ આ કાવતરું ઘડ્યું હતું.ATSએ ચાર્જશીટમાં કુલ ૧૧ શખસો સામે ગુનો દાખલ કર્યો હતો.

સાંગલીમાં વ્યાપારીઓ લૉકડાઉનના વિરોધમાં રસ્તા પર ઊતર્યા; કર્યું ભીખ માગો આંદોલન, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આ મામલે વિલંબ થતાં આરોપીઓએ જામીનની માગણી કરી હતી. આમાંનો માત્ર એક આરોપી કલવાન પટેરેજા જામીન પર બહાર છે. બાકીના 3 આરોપીઓ તિહાડમાં તો બે આરોપીઓ બેંગલોરની જેલમાં છે. કોર્ટે મુંબઈની જેલમાં બંધ છ આરોપીઓ વિરુદ્ધ આરોપ ઘડ્યા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More