ઇમારત પડી જાય તો વળતર આપવામાં આવે છે, વેપારીઓનો માલ ચોમાસામાં ખરાબ થઈ ગયો એની માટે શું?

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો

મુંબઈ, 11 જૂન 2021

શુક્રવાર

ચોમાસામાં મુંબઈ શહેરમાં અનેક ઇમારતો પડી ગઈ અમુક જગ્યાએ દીવાલ ધરાશાયી થઈ ગઈ. આ તમામ જગ્યાએ સરકારી રાહત અને મદદ પહોંચી છે. અમુક જગ્યાએ સરકારે વળતર જાહેર કર્યું છે. બીજી તરફ વેપારીઓને અંગૂઠો દેખાડવામાં આવ્યો છે. વાત એમ છે કે વેપારીઓએ પ્રશાસનને અરજી કરી હતી કે ચોમાસાના રિપેરિંગ કામ માટે દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવે, પરંતુ સરકારે આવા પ્રકારની કોઈ જ પરવાનગી આપી નહીં. એટલું નહિ જે દુકાનદારોએ દુકાન ખોલી તેને દંડ પણ ફટકારવામાં આવ્યો એવા અનેક કિસ્સા છે. હવે જ્યારે દુકાન ખોલવાની પરવાનગી મળી ત્યારે જોરદાર વરસાદને કારણે અનેક દુકાનદારોનો માલ ખરાબ થઈ ગયો છે.

મુંબઈ શહેરમાં કોરોના પરિસ્થિતિ કાબૂમાં, શહેરમાં કોરોનાના પોઝિટિવિટી રેટ ઘટીને 2.6% થયો ; જાણો આજે કેટલા નવા આવ્યા સામે

આ તમામ દુકાનદારોને વળતર કોણ આપશે?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More