News Continuous Bureau | Mumbai
Mumbai: મુલુંડના એક જીવન વીમા નિગમ પોલીસી ધારકની ( policy holder ) પત્નીએ તેના પતિના મૃત્યુ બાદ 13 વર્ષ બાદ તેના પોલીસીનો દાવો મેળવવામાં સફળતા મેળવી હતી. જે બાદ હવે તેને 9% વ્યાજ સાથે વીમાનો દાવો મળશે, જે હાલની કિંમત પ્રમાણે રૂ. 21 લાખથી વધુનો છે.
વાસ્તવમાં, એલઆઈસીએ ( LIC ) પોલીસીનો દાવો ( Policy claim ) એ કહીને ફગાવી દીધો હતો કે, પોલિસીધારક ડૉ શંકર શેટ્ટીએ વિમા કરાવતા સમયે અમુક તબીબી તથ્યો છુપાવ્યા હતા. જો કે, હવે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન આ મામલામાં એલઆઈસીને ( LIC Policy ) ડૉ શંકર શેટ્ટીના મૃત્યુ બાદ તેમની પત્નીને 19.75 લાખના દાવાની પતાવટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
Mumbai: એલઆઈસીએ તબીબી તથ્યો અધુરા હોવાનું કહી પોલીસી દાવો નામંજુર કરી દીધો હતો…
તેમજ નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન ( NCDRC ) દ્વારા મુકદ્દમા ફી તરીકે વધારાના રૂ. 10,000 ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે, જે રાજ્ય કમિશનના 2019ના નિર્ણયને સમર્થન આપે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડૉ. શેટ્ટી પ્રખ્યાત મેડિકલ પ્રેક્ટિશનર અને શેટ્ટીના એન્ડોસ્કોપિક અને સર્જિકલ સેન્ટરના માલિક હતા. તેની પત્નીએ ઉપભોકતા કમિશનને જણાવતા કહ્યું હતું કે, ડૉ. શેટ્ટીએ જીવન તરંગ અને સમૃદ્ધિ પ્લસ – એમ બે જીવન વીમા કવર ( Life insurance cover ) ખરીદ્યા હતા. આ બાદ સપ્ટેમ્બર 2011માં તેમને ફેફસાના કેન્સરનું નિદાન થયું હતું. તે જ વર્ષે નવેમ્બર સુધી તેમની સારવાર ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ફેબ્રુ
આ સમાચાર પણ વાંચો: Milind Deora: મિલિંદ દેવરાએ નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુને પત્ર લખીને મુંબઈ એરપોર્ટ પર થયેલ દુર્ઘટનાની તપાસ માટે કરી વિનંતી..
થોડા દિવસો પછી, જ્યારે ડૉ. શેટ્ટીની પત્ની શુભલક્ષ્મીએ જીવન તરંગના દાવા ( LIC Jeevan Tarang Policy ) માટે એલઆઈસીનો સંપર્ક કર્યો હતો જે 2025 સુધી માન્ય હતો, ત્યારે એલઆઈસીએ એવું બહાનું આપી દાવો નામંજુર કર્યો હતો કે, ડૉ. શેટ્ટી પહેલેથી ડાયાબિટીસથી પીડિત હતા અને તેણે 2007માં પિત્તાશય દૂર કરવાનું ઓપરેશન કરાવ્યું હતું. તેથી પોલીસ લેતા સમયે ડૉ. શેટ્ટી તેની સંપુર્ણ તબીબી તથ્યો જાહેર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તેથી એલઆઈસીની અન્ય સંબંધિત નીતિ હેઠળ શુભલક્ષ્મીને રૂ.2.75 લાખ જ માત્ર મંજૂર કરવામાં આવ્યા હતા.
Mumbai: પોલીસી દાવો નામંજુર થતા શુભલક્ષ્મીએ ઉપભોક્તા કમિશનનો સંપર્ક કર્યો હતો…
આ ઘટના બાદ, શુભલક્ષ્મીએ ઉપભોક્તા કમિશનનો ( Consumer Commission ) સંપર્ક કર્યો અને જણાવ્યું હતું કે, ડૉ. શેટ્ટી ડાયાબિટીસ માટે દવાખાનામાં દાખલ થયા ન હતા અને કોઈ દવા પણ લેતા ન હતા. ડૉ. શેટ્ટી આહાર અને કસરત દ્વારા ડાયાબિટિસ સંચાલિત કરતા હતા. શુભલક્ષ્મીએ આગળ કહ્યું હતું કે, ડૉ. શેટ્ટીની પિત્તાશયની બળતરા માટે સારવાર કરવામાં આવી હતી અને તેને દૂર કરવા માટે નહીં. તેથી તેમણે પોલીસી લેતી વખતે કોઈ તથ્ય છુપાવ્યા ન હતા.
પુરાવાની સંપુર્ણ તપાસ કર્યા બાદ, કમિશને આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ફેફસાના કેન્સરથી થયેલ તબીબી સમસ્યાને કારણે પોલિસી ખરીદ્યાના બે વર્ષમાં જ ડૉ. શેટ્ટીનું અવસાન થયું હતું. આ બાદ પોલીસીનો અસ્વીકાર એ આધાર પર હતો કરવામાં આવ્યો હતો કે, વીમાધારક 2007 માં ડાયાબિટીસથી પીડીત હતો અને પિત્તાશય (કોલેસીસ્ટેક્ટોમી) દૂર કરવા માટે અગાઉના ઓપરેશનને જાહેર કરવામાં નિષ્ફળ ગયો હતો. પરંતુ પીડીતને નવેમ્બર 2011 માં કેન્સર હોવાનું નિદાન થયું હતું. જ્યારે પીડીતે પોલિસી જુલાઈ 2010 માં ખરીદી હતી. તેથી ઉપભોક્તા કમિશનને આ પછી એલઆઈસીને પોલિસી મંજૂર કરવામાં કરવા કહ્યું હતું, કમિશને આગળ ચૂકાદો આપતા જણાવ્યું હતું કે, LIC શુભલક્ષ્મીને વ્યાજની રકમ સાથે વીમાની રકમ પણ ચૂકવવા જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: ATM Withdrawal Fees: ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! ટ્રાન્સેકશન માટે આપવો પડી શકે છે વધારે ચાર્જ..