વિદેશથી આવનારા નાગરિકોને હવે કમ્પ્લસરી પાંચ સિતારા હૉટેલમાં નહીં રહેવું પડે, સરકારે નિયમ બદલ્યો; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
દેશમાં કોરોનાનું સંકટ છવાયું ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ વિદેશથી પરત ફરેલા નાગરિકોને ફરજિયાત પાંચ સિતારા હૉટેલમાં ક્વૉર્ન્ટાઇન કરવાનો નિર્ણય લીધો હતો. હવે આ નિર્ણયને રદ કરવામાં આવ્યો છે. જેને લીધે વિદેશથી મુંબઈ આવનારા હજારો નાગરિકોને રાહત મળી છે.

પાંચ સિતારા હૉટેલમાં ૧૪ દિવસ ક્વૉર્ન્ટાઇન થનારા નાગરિકોએ ભારે રકમ ચૂકવવી પડતી હતી. એથી પાલિકાનો આ નિર્ણય તેમના માટે માથાનો દુખાવો બની ગયો હતો. નાગરિકોએ પોતાને હૉટેલને બદલે ક્વૉર્ન્ટાઇન કેન્દ્રોમાં મોકલવામાં આવે એવી વારંવાર રજૂઆત કરી હતી, છતાં આટલા સમયમાં પાલિકાએ આ વાતની ખાસ નોંધ લીધી ન હતી. 

ભારતીય શેરબજારમાં તેજી, Sensex એ પહેલીવાર 59 હજારની સપાટી કૂદાવી, નિફ્ટીએ પણ બનાવ્યો નવો રેકોર્ડ..

આ સંદર્ભે ઉત્તર મુંબઈના ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટીએ પ્રયત્નો કર્યા બાદ પાલિકાએ પાંચ સિતારા હૉટેલમાં ક્વૉર્ન્ટાઇનના નિર્ણયને રદ કર્યો છે. આ કામ બદલ ગોપાલ શેટ્ટીનું બહુમાન રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ કર્યું હતું.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More