Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કોવિડ મૃતકોના ફક્ત 50 ટકા સ્વજનો આર્થિક મદદ લેવા આગળ આવ્યાં, મહારાષ્ટ્ર સરકાર આપશે આટલું વળતર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 20 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

સોમવાર. 

મહારાષ્ટ્ર સરકારે રાજયમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના કુટુંબને ૫૦,૦૦૦ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. જોકે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાની બેદરકારીને કારણે મૃતકોના પરિવારજનો આ વળતર મેળવવાથી દૂર રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ઠપકા બાદ જાગેલી સરકારે પાલિકાને મૃતકોના સંબંધીઓને તાત્કાલિક શોધીને તેમના સુધી પહોંચવાનો આદેશ આપ્યો હતો.  

પાલિકાએ વોર્ડ સ્તરે કોવિડથી મૃત્યુ પામેલા લોકોના કુટુંબોને શોધવાનું કામગીરી શુક્રવારથી ચાલુ કરી હતી. જેમાં રવિવાર સાંજ સુધીમાં ૮,૦૦૦ પરિવાર સુધી પહોંચવામાં પાલિકાને સફળતા મળી હતી. મુંબઈમાં ૧૮ ડિસેમ્બર સુધી કોરોનાથી મૃત્યુ પામનારાની સંખ્યા ૧૬,૩૬૩ છે. એટલે રવિવાર સુધી પાલિકા 50 ટકા લોકો સુધી પહોંચી હતી અને તેમના પરિવાર પાસેથી 50,000 રૂપિયાનું વળતર મેળવવા માટે ઓનલાઈન અરજી કરાવી હતી.

મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધી, વેક્સિનના ત્રણેય ડોઝ લીધેલ અમેરિકાથી મુંબઈ પરત ફરેલો વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત; તંત્ર થયું દોડતું

મૃતકોના પરિવારને રાજય સરકાર તરફથી ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર મળવાનું છે. પરંતુ સરકારની બેદરાકરીને કારણે લોકો આગળ આવ્યા જ નહોતા. તેથી પાલિકાના વોર્ડરૂમ સ્તરે પોતાના કર્મચારીઓને અસરગ્રસ્ત પરિવારને શોધવાને કામે લગાવી દીધા હતા. પાલિકા પાસે આ અરજી આવ્યા બાદ તેની સ્ક્રુટીની કર્યા બાદ તેને રાજ્ય સરકાર પાસે મોકલશે. 

જે પરિવાર વળતને પાત્ર હશે તેમની અરજીને પાલિકા મંજૂર કરશે.  રાજ્ય સરકારના માધ્યમથી  તેમના એકાઉન્ટમાં સીધી રકમ જમા થશે. 

Chembur Murder Case ચેમ્બુરમાં રિક્ષામાંથી મળી આધેડની લોહીલુહાણ લાશ પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા
Mumbai AutoRickshaw Crime મુસાફરી દરમિયાન મહિલાનો ગુપ્ત વીડિયો ઉતારી ધમકાવનાર રિક્ષાચાલક ઝડપાયો શારીરિક સંબંધની કરી માંગણી
Domestic Gas Cylinder Commercial Use ચેમ્બુરમાં રેસ્ટોરન્ટમાં દરોડો સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ પકડાયો
Ghatkopar Chain Snatching Attempt ઘાટકોપરમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ પોલીસ સિપાઈએ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટારાને દબોચ્યો
Exit mobile version