વરસાદથી બચવા આ વાંદરાભાઈ મુંબઈના મેટ્રો સ્ટેશનમાં ઘૂસી ગયા!

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 જૂન 2021

બુધવાર

શહેરમાં આજે ધોધમાર વરસાદ અને તેનાથી સર્જાયેલી હાલાકીથી લોકો ત્રાહિમામ થઈ ગયા હતા. માણસો ઉપરાંત પ્રાણીઓ પણ આ વરસાદથી બચવા માટે પોતાનો આસરો ગોતાવાની હોડમાં હતા, ત્યારે એક વાંદરાએ આ વરસતા મુશળધાર વરસાદથી બચવા માટે મુંબઈના મેટ્રો સ્ટેશનનો સહારો લીધો હતો.

ઘાટકોપરના મેટ્રો સ્ટેશન પર બેઠો-બેઠો આ વાનર કામધંધે જતા મુંબઈગરાને કુતુહલ સાથે જોઈ રહ્યો હતો. જોકે, આ વાંદરાએ કોઈને પરેશાન કાર્ય ન હતા. વરસાદના ઠંડા પાણીથી પોતાની જાતને બચાવવા માટે તે અહી આવી પહોંચ્યો હતો. ભારે વરસાદથી વાંદરાઓ ભયભીત થી પોતાનો આસરો શોધતા હોય તેમ જણાય છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More