News Continuous Bureau | Mumbai
Mumbai: બોરીવલી (Borivali) ના રાજેન્દ્ર નગર (Rajendra Nagar) માં એક બહુમાળી બિલ્ડિંગમાંથી 78 વર્ષીય મહિલાની લાશ મળી આવી છે. આ ઘટનાએ વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જી હતી અને મહિલા તેના બીમાર પતિ સાથે ઘરમાં રહેતી હતી. આ અંગે કસ્તુરબા પોલીસ સ્ટેશન (Kasturba Police Station) માં આકસ્મિક મોતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાનું નામ સુલોચના ભાસ્કર શેટ્ટી છે.
રાજેન્દ્ર નગર, બોરીવલીની એકતા ભૂમિ(Ekta bhumi) બહુમાળી ઇમારતની K વિંગમાં પાંચમા માળે રહેતી હતી. સુલોચનાના રહેવાસીઓએ ફરિયાદ કરી હતી કે સુલોચનાના ફ્લેટમાંથી દુર્ગંધ આવી રહી છે. આ માહિતી મળતા જ બોરીવલી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે ફ્લેટ ખોલવામાં આવ્યો ત્યારે સુલોચનાનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Tomato Prices: ટામેટાએ તો સફરજનની સાઈડ કાપી, ભાવ સાંભળીને તમે પણ તોબા પોકારી જશો.. વાંચો ટમેટાના હાલ નવા ભાવો અહીંયા..
મૃત્યુનું કારણ હજુ અસ્પષ્ટ છે
તેમની પુત્રી બે દિવસથી તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી હતી.પોલીસ જ્યારે તેમના ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશી ત્યારે તેમને સુલોચના મૃત અને તેના પતિ બીમાર જણાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે સુલોચનાને એક પુત્રી છે અને તેણે તેની જાણ કરી હતી. પ્રાથમિક અંદાજ મુજબ સુલોચના ભાસ્કરનું મૃત્યુ બે દિવસ પહેલા થયું હતું. પોલીસે એમ પણ કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.
પોલીસે સુલોચનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. તેમના મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી કારણ કે તેમના શરીર પર કોઈ હત્યા નિશાન કે ખુન ન હતુ. ફ્લેટમાંથી પણ કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નથી. આ મામલે કસ્તુરબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.