Site icon News Continuous Bureau | Mumbai

મુંબઇકરો માટે મોટો નિર્ણય : મેટ્રો કાર શેડ આરે કોલોની થી હટાવી કાંજુરમાર્ગ ખસેડાશે.. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની જાહેરાત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

12 ઓક્ટોબર 2020

મહાવિકાસ આઘાડી સરકારે આખરે આરેના જંગલમાંથી  મેટ્રો કાર શેડ પર કાયમી પૂર્ણવિરામ મુકી દીધુ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ​​જાહેરાત કરી હતી કે, આ કાર શેડ હવે કાંજુરમાર્ગ ખાતેની સરકારી જમીન પર બનાવાશે, જે તમામ મુંબઇકારો માટે એક મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, લોકોના હિત માટે સરકાર કંજુરમાર્ગમાં શૂન્ય રૂપિયા ખર્ચ કરીને કાર શેડ માટે જમીન આપી રહી છે. તેમણે કહ્યું કે આરેમાં કાર શેડના કામમાં ખર્ચવામાં આવેલા જાહેર નાણાંનો એક પૈસો પણ વેડફાશે નહીં. તેમણે પર્યાવરણવાદીઓને પણ આશ્વાસન આપ્યું કે સરકાર આરે જંગલ બચાવવા આંદોલન દરમિયાન દાખલ કરેલા તમામ આરોપો પાછા ખેંચી રહી છે.

આરેમાં કાર શેડની કિંમત આશરે 100 કરોડ રૂપિયા જેવી થઈ છે. આનો ઉપયોગ કારશેડ બનાવવા માટે કરવામાં આવશે નહીં. પરંતુ, અમે તેનો ઉપયોગ બીજા સારા કામ માટે કરીશું. તેવી જ રીતે, ટનલ અથવા રેમ્પ્સ મર્જ કરીને મેટ્રો 3 અને 6 પર ખર્ચવામાં આવેલા નાણાંનો ઉપયોગ મેટ્રો માટે થઈ રહ્યો છે. તેથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. જાહેર કામ માટે કરેલા પૈસામાંથી જે ખર્ચ કરવામાં આવ્યો છે તે કોઈ પણ રીતે વ્યર્થ જશે નહીં.

ઉદ્ધવ ઠાકરે એ આરેની 600 એકર જમીનને જંગલ તરીકે જાહેર કરી હતી. પરંતુ, જંગલની ઘોષણા કર્યા પછી જાણ થઈ કે કેટલાક આદિવાસીઓના જંગલમાં તબેલાઓ છે; સ્થાનિકોના હક ઉપર કોઇ પણ પ્રતિબંધ લાદયા વગર જંગલ જાહેર કરાયું છે. તે સમયે જંગલ 600 એકર હતું, પરંતુ વહીવટી અધિકારીઓની સમીક્ષા બાદ જંગલની હદ 600 એકરથી વધીને 800 એકર થઈ ગઈ છે. મુખ્યમંત્રી એ કહ્યું કે, "મને ખૂબ ગર્વ છે કે અમારી સરકાર 800 એકર જંગલને જંગલ તરીકે  ઘોષણા કરી રહી છે.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version