નવા જુનીના એંધાણ.. મોદી સરકારના આ મંત્રી મુંબઈમાં મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે કરી મુલાકાત.. રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ..

કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી નારાયણ રાણેએ MNS પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી છે. આ બેઠક દાદરમાં રાજ ઠાચરેના નિવાસ સ્થાન શિવતીર્થ ખાતે થઈ હતી.

by Dr. Mayur Parikh
Union minister Narayan Rane meets MNS Chief Raj Thackeray

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી ( Union minister ) નારાયણ રાણેએ ( Narayan Rane )  MNS પ્રમુખ રાજ ઠાકરે ( MNS Chief Raj Thackeray ) સાથે મુલાકાત કરી છે. આ બેઠક દાદરમાં રાજ ઠાચરેના નિવાસ સ્થાન શિવતીર્થ ખાતે થઈ હતી. આ મુલાકાત દરમિયાન રાજ ઠાકરે અને નારાયણ રાણે શિવતીર્થની ગેલેરીમાં જોવા મળ્યા હતા. આ બેઠક બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ અને MNS વચ્ચે ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં રાણે અને ઠાકરે વચ્ચેની મુલાકાત વિશેષ મહત્વ ધરાવે છે.

નારાયણ રાણે અને રાજ ઠાકરે વચ્ચેની આ મુલાકાત અંગત છે. કહેવાય છે કે એક પારિવારિક મુદ્દે ચર્ચા થઈ હતી.

આ સમાચાર પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: શહેરમાં અહીં બનશે અંડરગ્રાઉન્ડ સ્ટેશન, અધધ 3,681 કરોડના ટેન્ડર મળી મંજૂરી…

જ્યારે પણ બે રાજકીય નેતાઓની મુલાકાત થાય ત્યારે તેમની વચ્ચે રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થાય તે સ્વાભાવિક છે. આથી આ બેઠકમાં ખરેખર શું ચર્ચા થઈ તે અંગે હાલ રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહી છે.

મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ ઠાકરે અને ભાજપના નેતાઓ વચ્ચે નિકટતા વધી રહી છે. ભાજપના નેતાઓ અવારનવાર રાજ ઠાકરેને મળી રહ્યા છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More