Site icon News Continuous Bureau | Mumbai

Vande Bharat Express : સુવિધામાં વધારો… મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે ગુજરાતના આ સ્ટેશન પર પણ ઊભી રહેશે, સમયમાં પણ ફેરફાર

Vande Bharat Express :રેલવે મુસાફરોની સુવિધામાં વધારો કરતા, મુંબઈ સેન્ટ્રલ (Mumbai Central) થી ગાંધીનગર કેપિટલ (Gandhinagar Capital) વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ટ્રેનને હવે ગુજરાતના વલસાડ (Valsad) સ્ટેશન પર પણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે. રેલવે મંત્રાલયે (Ministry of Railways) આ મંજૂરી આપી દીધી છે, અને આ નવો સ્ટોપેજ રવિવાર, ૨૭ જુલાઈ, ૨૦૨૫ થી અમલમાં આવશે.

Vande Bharat Express Mumbai Central-Gandhinagar Capital Vande Bharat Express train will now stop at this station in Gujarat too

Vande Bharat Express Mumbai Central-Gandhinagar Capital Vande Bharat Express train will now stop at this station in Gujarat too

News Continuous Bureau | Mumbai

Vande Bharat Express :પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને પ્રાયોગિક ધોરણે વલસાડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. વિગતો નીચે મુજબ છે :

Join Our WhatsApp Channel

27 જુલાઈ,2025ના રોજથી ગાંધીનગર કેપિટલથી ઉપડનારી ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન 17:51 કલાકે વલસાડ સ્ટેશન પહોંચશે અને 17:53 કલાકે પ્રસ્થાન કરશે. આને લીધે, ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલથી 14:05 કલાકને બદલે 14:00 કલાકે પ્રસ્થાન કરશે. આ કારણે, અમદાવાદ, આણંદ, વડોદરા અને સૂરત સ્ટેશન પર આ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

એ જ રીતે, 28 જુલાઈ, 2025ના થી રોજ મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન 08:19 કલાકે વલસાડ સ્ટેશન પર પહોંચશે અને 08:21 કલાકે પ્રસ્થાન કરશે. આને લીધે સૂરત, વડોદરા, આણંદ અને અમદાવાદ સ્ટેશનો પર આ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

Vande Bharat Express : વંદે ભારત એક્સપ્રેસના સમયપત્રકમાં ફેરફાર.

વલસાડ ખાતે નવા સ્ટોપેજને કારણે વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર ૨૦૯૦૧/૨૦૯૦૨) ના સમયપત્રકમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.

ટ્રેન નંબર ૨૦૯૦૨ (ગાંધીનગર કેપિટલ → મુંબઈ સેન્ટ્રલ) – ૨૭ જુલાઈ, ૨૦૨૫ થી લાગુ:

આ સમાચાર પણ વાંચો : Jagdeep Dhankhar Resign :જગદીપ ધનખડ ના રાજીનામાથી વિપક્ષ ભીંસમાં: મૉનસૂન સત્રનો એજન્ડા બદલાયો, ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી બન્યો નવો પડકાર!

ટ્રેન નંબર ૨૦૯૦૧ (મુંબઈ સેન્ટ્રલ → ગાંધીનગર કેપિટલ) – ૨૮ જુલાઈ, ૨૦૨૫ થી લાગુ:

આ નવા સ્ટોપેજ અને સુધારેલા સમયપત્રકથી દક્ષિણ ગુજરાત અને ગુજરાત-મહારાષ્ટ્રની રાજધાનીઓ વચ્ચે રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે, જે હજારો મુસાફરો માટે લાભદાયી નીવડશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Mumbai Versova Dahisar Coastal Road। મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે ૧,૨૦૦ વૃક્ષો કાપવા મંજૂરી, ૭૦૦ વૃક્ષોને પનવેલમાં રીપ્લાન્ટ કરાશે
Mumbai Gymkhana Land Audit। હાઈપ્રોફાઈલ ક્લબો પર સંકટ મુંબઈના ૧૬ દિગ્ગજ જીમખાના સામે કેમ શરૂ થઈ ખાલી કરાવવાની હલચલ? જાણી લો અસલી કારણ
Mumbai CNG Price Hike। આજથી જ ખિસ્સું ખાલી મુંબઈમાં CNG મોંઘો થયો, ભાવવધારાથી રિક્ષાટેક્સી ચાલકો અને સામાન્ય જનતાને મોટો ફટકો!
Mulund SUV Road Accident। મુલુંડમાં સોસાયટીમાંથી બહાર નીકળતી પૂરપાટ કાર શાકભાજીની લારી પર ફરી વળી; મહિલા વિક્રેતા અને માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત
Exit mobile version