Site icon News Continuous Bureau | Mumbai

સંભાળજો! પાલિકાના આ પગલાને કારણે મુંબઈમાં રખડતા શ્વાનનો ત્રાસ વધી જશેઃ હાલ મુંબઈમાં અઢી લાખ રખડતા શ્ર્વાન છે જાણો વિગત.

Dog Howl: Why do dogs howl at night? What do they see? What is the reason?

Dog Howl: Why do dogs howl at night? What do they see? What is the reason?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 18 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

શનિવાર. 

મુંબઈ મહાનગરપાલિકાએ રખડતા શ્વાન ના સ્ટરીલાઈઝેન કરવા માટે વપરાતા વાહનો જૂના થઈ જતા તેને ભંગારમાં કાઢવાની છે. કુલ ચાર વાહનો એકીસાથે ભંગારમાં કાઢી નાખશે. તેથી શ્વાનના સ્ટર્લીલાઈઝેનની ઝુંબેશને મોટા પ્રમાણમાં અસર પડશે. તેને પગલે આગામી દિવસમાં મુંબઈમાં રખડતા શ્વાનો ની સંખ્યા હજી વધી જશે એવો ભય વ્યક્ત થઈ રહ્યો છે. 

પાલિકા પાસે શ્ર્વાન પકડવા માટે રહેલા ચાર વાહનોની નિયમ મુજબ આઠ વર્ષની મુદત પૂરી થઈ ગઈ છે. તેથી તેને ભંગારમાં કાઢી નાખીને તેની સામે નવા ચાર વાહનો ખરીદવામાં આવવાના છે. તે પાછળ ૧,૦૨,૨૪,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. પરંતુ જયાં સુધી આ નવા વાહનો પાલિકા પાસે નહીં આવે ત્યાં સુધી શ્વાનનુ સ્ટર્લીલાઈઝેન ઝુંબેશને અસર થઈ શકે છે.

મુંબઈના રસ્તા પર એક અંદાજ મુજબ અઢી લાખની આસપાસ રખડતા શ્ર્વાન  છે. પાલિકા બિન સરકારી સંસ્થાની  મદદથી રખડતા શ્વાન ની સંખ્યા નિયંત્રણમાં રાખે છે. તે માટે આ શ્વાનના સ્ટર્લીલાઈઝેન કરાય  છે. અમુક કારણથી  છેલ્લા પાંચ વર્ષમાં ફકત ૯૦,000 શ્ર્વાનના સ્ટર્લીલાઈઝેન થયા છે. 

રખડતા શ્વાન ને પકડીને તેમના સ્ટર્લીલાઈઝેન કરવા ખાસ વાહનો હોય છે. રખડતા શ્વાન ની કોઈ વિસ્તારમાંથી ફરિયાદ આવ્યા બાદ સંબંધિત વિસ્તારમાં શ્વાન પકડીને તેમને રેબીઝની વૅક્સિન આપવામાં આવે છે. શ્વાનનું સ્ટર્લીલાઈઝેન કરીને તેને ફરી છોડી મૂકવામાં આવે છે. 

‘બેસ્ટ’ પ્રશાસનનો અજબ કારભાર, કામ પર ગુટલી મારનારા કર્મચારીઓના પગાર કાપવાનું દોઢ વર્ષે આવ્યું યાદ. જાણો વિગત

મુંબઈમાં ૧૯૯૪ની સાલથી રખડતા શ્વાનનું સ્ટર્લીલાઈઝેન કરવામાં આવે છે. મુંબઈમાં હાલ લગભગ અઢી લાખ રખડતા શ્વાન છે. રખડતા શ્વાન ની સંખ્યા જોતા દર વર્ષે ૩૨થી ૩૪ હજાર શ્ર્વાનનું સ્ટર્લીલાઈઝેન કરવું આવશ્યક છે,  તેની સામે ૨૦૧૯ની સાલમાં ફક્ત ૧૮,૯૧૨ શ્વાન નું સ્ટર્લીલાઈઝેન કરવામાં પાલિકા સફળ થઈ હતી. 

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version