News Continuous Bureau | Mumbai
બોલીવૂડની ૩૫૦થી વધારે હિન્દી ફિલ્મો માટે ગીતો લખનાર ગીતકાર માયા ગોવિંદનું મુંબઈ ખાતે તેમના જુહૂ સ્થિત નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ 82 વર્ષના હતા.
છેલ્લા અમુક સમયથી તેમની તબીયેત નાદુરસ્ત હતી. તેમનું હાર્ટ ઍટેકના કારણે નિધન થયું હતું.
માયા ગોવિંદે ‘રજિયા સુલતાન’, ‘મૈ ખિલાડી તૂ અનાડી’, ‘લાલ બાદશાહ’, ‘યારાના’, ‘બેટી નં. ૧’, ‘ઐતબાર’, ‘હમ તુમ્હારે હૈ સનમ’ વગેરે જેવી કેટલીય ફિલ્મોમાં ગીતો લખ્યાં હતાં.
આ સમાચાર પણ વાંચો : Gokhale bridge : ગોખલે બ્રિજ પર મહાકાય ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ, આ તારીખ સુધી ખુલી જશે બ્રિજની એક લેન
