બોરીવલી – દહિસર આ દિવસે પાણીનો પુરવઠો બંધ રહેશે. જાણી લો સમય… જાણો વિગતે.

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકા(Mumbai) દ્વારા બોરીવલી(Borivali)માં મંગળવારે પાણીની પાઈપલાઈન(Water pipeline)નું કામ કરવામાં આવવાનું છે. તેથી આખો દિવસ બોરીવલી અને દહિસર(Borivali and Dahisar)ના અમુક વિસ્તારમાં પાણી પુરવઠો(Water supply) બંધ રહેશે.
મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા મંગળવાર, 10 મે, 2022 ના રોજ સવારે 11 વાગ્યાથી બોરીવલી (પૂર્વ)માં સંજય ગાંધી નેશનલ પાર્ક (નેશનલ પાર્ક)ની સામે વેસ્ટર્ન એક્સપ્રેસ વેની(Western express way) પૂર્વમાં સર્વિસ રોડ પર 1050 મીમી વ્યાસની પાણીની પાઈપલાઈન (જૂનું દહિસર આઉટલેટ) બંધ કરવાનું કામ કરવાની છે. જે રાતના 12.00 વાગ્યા સુધી યોજાશે. તેથી આ સમયગાળા દરમિયાન એટલે કે મંગળવાર 10 મેના રોજ સવારે 11:30 થી રાતના 12:00 વાગ્યા સુધી 'આર સેન્ટ્રલ' અને 'આર નોર્થ'ના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠાનો સમય ઘટાડવામાં આવશે. તો  'આર નોર્થ' વિભાગના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

'આર સેન્ટ્રલ' વિભાગ: સંત જ્ઞાનેશ્વર માર્ગ (શાંતિવન), શ્રીકૃષ્ણ નગર, અભિનવ નગર, સાવરપાડા, કાજુપાડા, ઈશ્વર નગર, સુદામ નગર, ચોગલે નગર – (સવારે 8.30 થી 10.45) નિયમિત પાણી પુરવઠાનો સમય છે. જો કે, કામ દરમિયાન પાણી પુરવઠો સવારે 8.30 થી સવારે 10.00 સુધી રહેશે.

આ સમાચાર પણ વાંચો :  કોણ કહે છે મોંઘવારી છે? મુંબઈમાં એપ્રિલમાં રેકોર્ડબ્રેક પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન, આટલા ફ્લેટ વેચાયા; જાણો વિગતે.

'આર ઉત્તર' વિભાગમાં  ઓવરીપાડા (આંશિક રીતે), રાજેશ કુંપણ, શાંતિ નગર, અશોકવન, શિવ વલ્લભ માર્ગ (દક્ષિણ બાજુ), સંત જ્ઞાનેશ્વર માર્ગ, નેન્સી ડેપો, ચોગલે નગર, સાવરપાડા, સંભાજી નગર, શિવ હિલ, સંતોષ નગર, ગણેશ નગર, શુક્લા કુંપણ, પાંડે નગર – (સવારે 8.30 થી 10.45 સુધી નિયમિત પાણી પુરવઠાનો સમય. જો કે, કામના સમય દરમિયાન પાણી પુરવઠો સવારે 8.30 થી સવારે 10.00 સુધી રહેશે).

'આર સેન્ટ્રલ' વિભાગમાં કાજુપાડામાં કમ્પાઉન્ડ, પાટીલ કમ્પાઉન્ડ, જાગરદેવ કમ્પાઉન્ડ, ઓમ સિદ્ધરાજ કોમ્પ્લેક્સ, ગિરીશિખર કોમ્પ્લેક્સ પરિસરમાં  10.45 વાગ્યાથી 12.30 વાગ્યા સુધી નિયમિત પાણી પુરવઠાનો સમય છે જો કે, કામ દરમિયાન સવારે 10.00 થી 11.30 સુધી પાણી પુરવઠો રહેશે.

'આર નોર્થ' વિભાગમાં  અશોક વન, દેશમુખ રેસીડેન્સી, સાંઈ શ્રદ્ધા ફેઝ-1 અને ફેઝ-2માં 10.45 am થી 12.30 વાગ્યા સુધી નિયમિત પાણી પુરવઠાના કલાકો છે. જો કે, કામ દરમિયાન સવારે 10.00 થી 11.30 સુધી પાણી પુરવઠો રહેશે.

'આર ઉત્તર' વિભાગ: શિવ વલ્લભ માર્ગ (ઉત્તર બાજુ), મારુતિ નગર, રાવલપાડા, એસ. એન. દુબે માર્ગ, સંત કબીર માર્ગ, કોકણીપાડા, ધારખાડી, સુહાસિની પાવસ્કર માર્ગ, વૈશાલી નગર, કેતકીપાડા, એકતા નગર, દહિસર ટેલિફોન એક્સચેન્જ, ઘરતનપાડા નંબર 1 અને 2, સંત મીરાબાઈ માર્ગ, વાઘદેવી નગર, શિવાજી નગર – કેતકીપાડા વિસ્તારમાં સાંજે 5.30 થી 7.40 સુધી નિયમિત પાણી પુરવઠાનો સમય છે, જો કે, કામ દરમિયાન આ વિસ્તારમા પાણી પુરવઠો બંધ રહેશે.

‘આર નોર્થ’ વિભાગ: આનંદ નગર, આશિષ સંકુલ, એન. એલ. સંકુલ, વીર સંભાજી નગર, છત્રપતિ શિવાજી સંકુલ, ભાબલીપાડા, અવધૂત નગર, વર્ધમાન ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સુધીન્દ્ર નગર, કેતકીપાડા ઓનલાઈન પમ્પિંગ  વિસ્તારમાં રાત્રે 9.30 થી 11.30 વાગ્યા સુધી નિયમિત પાણી પુરવઠાનો સમય છે. જોકે આ દરમિયાન પાણી પુરવઠો બંધ રહેશે.

મંગળવારના આ સમયગાળા દરમિયાન સંબંધિત વિસ્તારના નાગરિકોને પાણી કાપના આગલા દિવસે જરૂરી પાણીનો સ્ટોક કરી રાખવા અપીલ કરવામાં આવી છે.
 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More