Site icon News Continuous Bureau | Mumbai

બોરીવલી – દહિસર આ દિવસે પાણીનો પુરવઠો બંધ રહેશે. જાણી લો સમય… જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકા(Mumbai) દ્વારા બોરીવલી(Borivali)માં મંગળવારે પાણીની પાઈપલાઈન(Water pipeline)નું કામ કરવામાં આવવાનું છે. તેથી આખો દિવસ બોરીવલી અને દહિસર(Borivali and Dahisar)ના અમુક વિસ્તારમાં પાણી પુરવઠો(Water supply) બંધ રહેશે.
મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા મંગળવાર, 10 મે, 2022 ના રોજ સવારે 11 વાગ્યાથી બોરીવલી (પૂર્વ)માં સંજય ગાંધી નેશનલ પાર્ક (નેશનલ પાર્ક)ની સામે વેસ્ટર્ન એક્સપ્રેસ વેની(Western express way) પૂર્વમાં સર્વિસ રોડ પર 1050 મીમી વ્યાસની પાણીની પાઈપલાઈન (જૂનું દહિસર આઉટલેટ) બંધ કરવાનું કામ કરવાની છે. જે રાતના 12.00 વાગ્યા સુધી યોજાશે. તેથી આ સમયગાળા દરમિયાન એટલે કે મંગળવાર 10 મેના રોજ સવારે 11:30 થી રાતના 12:00 વાગ્યા સુધી 'આર સેન્ટ્રલ' અને 'આર નોર્થ'ના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠાનો સમય ઘટાડવામાં આવશે. તો  'આર નોર્થ' વિભાગના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

Join Our WhatsApp Community

'આર સેન્ટ્રલ' વિભાગ: સંત જ્ઞાનેશ્વર માર્ગ (શાંતિવન), શ્રીકૃષ્ણ નગર, અભિનવ નગર, સાવરપાડા, કાજુપાડા, ઈશ્વર નગર, સુદામ નગર, ચોગલે નગર – (સવારે 8.30 થી 10.45) નિયમિત પાણી પુરવઠાનો સમય છે. જો કે, કામ દરમિયાન પાણી પુરવઠો સવારે 8.30 થી સવારે 10.00 સુધી રહેશે.

આ સમાચાર પણ વાંચો :  કોણ કહે છે મોંઘવારી છે? મુંબઈમાં એપ્રિલમાં રેકોર્ડબ્રેક પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન, આટલા ફ્લેટ વેચાયા; જાણો વિગતે.

'આર ઉત્તર' વિભાગમાં  ઓવરીપાડા (આંશિક રીતે), રાજેશ કુંપણ, શાંતિ નગર, અશોકવન, શિવ વલ્લભ માર્ગ (દક્ષિણ બાજુ), સંત જ્ઞાનેશ્વર માર્ગ, નેન્સી ડેપો, ચોગલે નગર, સાવરપાડા, સંભાજી નગર, શિવ હિલ, સંતોષ નગર, ગણેશ નગર, શુક્લા કુંપણ, પાંડે નગર – (સવારે 8.30 થી 10.45 સુધી નિયમિત પાણી પુરવઠાનો સમય. જો કે, કામના સમય દરમિયાન પાણી પુરવઠો સવારે 8.30 થી સવારે 10.00 સુધી રહેશે).

'આર સેન્ટ્રલ' વિભાગમાં કાજુપાડામાં કમ્પાઉન્ડ, પાટીલ કમ્પાઉન્ડ, જાગરદેવ કમ્પાઉન્ડ, ઓમ સિદ્ધરાજ કોમ્પ્લેક્સ, ગિરીશિખર કોમ્પ્લેક્સ પરિસરમાં  10.45 વાગ્યાથી 12.30 વાગ્યા સુધી નિયમિત પાણી પુરવઠાનો સમય છે જો કે, કામ દરમિયાન સવારે 10.00 થી 11.30 સુધી પાણી પુરવઠો રહેશે.

'આર નોર્થ' વિભાગમાં  અશોક વન, દેશમુખ રેસીડેન્સી, સાંઈ શ્રદ્ધા ફેઝ-1 અને ફેઝ-2માં 10.45 am થી 12.30 વાગ્યા સુધી નિયમિત પાણી પુરવઠાના કલાકો છે. જો કે, કામ દરમિયાન સવારે 10.00 થી 11.30 સુધી પાણી પુરવઠો રહેશે.

'આર ઉત્તર' વિભાગ: શિવ વલ્લભ માર્ગ (ઉત્તર બાજુ), મારુતિ નગર, રાવલપાડા, એસ. એન. દુબે માર્ગ, સંત કબીર માર્ગ, કોકણીપાડા, ધારખાડી, સુહાસિની પાવસ્કર માર્ગ, વૈશાલી નગર, કેતકીપાડા, એકતા નગર, દહિસર ટેલિફોન એક્સચેન્જ, ઘરતનપાડા નંબર 1 અને 2, સંત મીરાબાઈ માર્ગ, વાઘદેવી નગર, શિવાજી નગર – કેતકીપાડા વિસ્તારમાં સાંજે 5.30 થી 7.40 સુધી નિયમિત પાણી પુરવઠાનો સમય છે, જો કે, કામ દરમિયાન આ વિસ્તારમા પાણી પુરવઠો બંધ રહેશે.

‘આર નોર્થ’ વિભાગ: આનંદ નગર, આશિષ સંકુલ, એન. એલ. સંકુલ, વીર સંભાજી નગર, છત્રપતિ શિવાજી સંકુલ, ભાબલીપાડા, અવધૂત નગર, વર્ધમાન ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સુધીન્દ્ર નગર, કેતકીપાડા ઓનલાઈન પમ્પિંગ  વિસ્તારમાં રાત્રે 9.30 થી 11.30 વાગ્યા સુધી નિયમિત પાણી પુરવઠાનો સમય છે. જોકે આ દરમિયાન પાણી પુરવઠો બંધ રહેશે.

મંગળવારના આ સમયગાળા દરમિયાન સંબંધિત વિસ્તારના નાગરિકોને પાણી કાપના આગલા દિવસે જરૂરી પાણીનો સ્ટોક કરી રાખવા અપીલ કરવામાં આવી છે.
 

Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version