Site icon News Continuous Bureau | Mumbai

સાવધાન : મુંબઈના આ વિસ્તારમાં રહેશે આટલા ટકા પાણીકાપ, 3 ઑગસ્ટના પાણીની પાઇપલાઇનનું થશે સમારકામ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 31 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ મહાનગરપાલિકા પાણીની પાઇપલાઇનમાં મોટા પ્રમાણમાં સમારકામ કરવાની છે. આ કામ મંગળવાર 3 ઑગસ્ટના કરવામાં આવનાર છે. એથી મંગળવારના રોજ દક્ષિણ મુંબઈ અને પશ્ચિમ ઉપનગરમાં 15 ટકા પાણીકાપ રહેશે, તો કુર્લા, ઘાટકોપર, અંધેરી અને ગોરેગામના અમુક વિસ્તારમાં 100 ટકા પાણીકાપ રહેશે.

શાબ્બાશ, બોરીવલીના 27 જૈન સંઘોએ કરી ઉલ્લેખનીય કામગીરી : રાજ્યપાલના હસ્તે થયું સન્માન : લૉકડાઉનમાં જરૂરિયાતમંદોને અનાજ, દવા-પાણી તથા રોકડ રકમની મદદ કરી હતી; જાણો વિગત

પાલિકાના પાણીપુરવઠા ખાતા દ્વારા જણાવ્યા મુજબ પાલિકાની પવઈ વેરાવલીમાં આવેલી વૉટર ટનલ અને વેરાવલી રિઝર્વિયરમાંથી રહેલી પાણીનો પુરવઠો કરનારી પાઇપલાઇનમાં અમુક જગ્યાએ જોડાણ અને અમુક જગ્યાએ વ્યાસ બદલવામાં આવવાના છે. તેમ જ ભાંડુપ પમ્પિંગ કૉમ્પ્લેક્સમાં પણ પાઇપલાઇનમાં વ્યાસ બદલવામાં આવનાર છે. આ કામ મંગળવારના સવારના સાડાઆઠથી રાતના સાડાદસ વાગ્યા સુધી ચાલવાનું છે. એથી આ સમય દરમિયાન વિલેપાર્લે, ગોરેગામ, કુર્લા, ઘાટકોપર, અંધેરીમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. વિલેપાર્લે, જોગેશ્વરી (ઈસ્ટ), અને ગોરેગામના અમુક વિસ્તારોમાં પાણી ઓછા દબાણ સાથે મળશે. દક્ષિણ મુંબઈમાં પરેલ અને સાયનને બાદ કરતાં તમામ વિસ્તારમાં 15 ટકા પાણીકાપ રહેશે.

 

Chocolate Theft in Borivali: બોરીવલી સુપર માર્કેટમાંથી ₹12 હજારની ચોકલેટ ચોરનાર 19 વર્ષીય યુવક ઝડપાયો
Tension in Worli: ડીજે મ્યુઝિક વગાડવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ: રોષે ભરાયેલા કાર્યકરોએ વરલીમાં રસ્તા રોકીને ચક્કાજામ સર્જ્યો
Goa CM Photo Fraud:ગોવા CM સાથેના ફોટા બતાવી ઉદ્યોગપતિ સાથે ₹1.13 કરોડની છેતરપિંડી ઠગ ડોક્ટરની ધરપકડ
Thane Fake Tantrik Arrest: અંધશ્રદ્ધાના નામે ₹2.5 કરોડ પડાવનાર ઠગ તાંત્રિક ગોવાથી ઝડપાયો: થાણે ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા
Exit mobile version