Water Cut : મુંબઈમાં પાણીકાપ નહીં થાય, રાજ્ય સરકારની ખાતરી બાદ 10 ટકા પાણી કાપનો નિર્ણય રદ્દ કર્યો

Water Cut : મુંબઈગરાઓ માટે સંભવિત પાણી કાપ હાલ પૂરતો ટાળવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ભાતસા અને ઉર્ધ્વા વૈતરણા ડેમમાંથી અનામત પાણી પુરવઠો છોડવાની મંજૂરી આપી છે.

by Bipin Mewada
Water Cut There will be no water cut in Mumbai, after the assurance of the state government, the decision to cut 10 percent water has been canceled.

News Continuous Bureau | Mumbai 

Water Cut : આ વર્ષે વરસાદના અભાવે મુંબઈના પાણી પુરવઠાને ( water supply ) અસર ન થાય તે માટે મહાનગરપાલિકાને ( BMC ) મહારાષ્ટ્ર સરકારના અનામતમાંથી પાણી પુરવઠો આપવાની માગણી કરી હતી. રાજ્ય સરકારે હવે મુંબઈને જળાશયમાંથી (  reservoir ) પાણીની અછતને પહોંચી વળવાની ખાતરી આપી છે. મહાનગરપાલિકા એડમિનિસ્ટ્રેશને સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી સરકાર તરફથી ગેરંટી નહીં મળે ત્યાં સુધી પ્રસ્તાવિત 10 ટકા પાણી કાપ કરવામાં આવશે નહીં. 

પ્રાપ્ત માહિતી મુજબ, મુંબઈગરાઓ માટે સંભવિત પાણી કાપ હાલ પૂરતો ટળી ગયો છે. રાજ્ય સરકારે ભાતસા ( Bhatsa ) અને ઉર્ધ્વા વૈતરણા ડેમમાં ( Vaitarana Dam ) અનામત પાણી પુરવઠો છોડવાની મંજૂરી આપી છે. મુંબઈને પાણી પૂરું પાડતા તમામ સાત ડેમમાં પાણીનો સંગ્રહ હાલમાં 43 ટકા છે અને રાજ્ય સરકારે અનામત સંગ્રહને મંજૂરી આપી હોવાથી હવે તેમાં વધારો થવા જઈ રહ્યો છે. તેથી હવે 1 માર્ચથી સૂચિત પાણી કાપ ટાળવામાં આવ્યો છે.

 ગત વર્ષની સરખામણીએ ડેમમાં પાણીકાપ 5.58 ટકા ઓછો છે…

ઉલ્લેખનીય છે કે, અગાઉના બે વર્ષમાં 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં ચોમાસું સક્રિય હતું. પરંતુ આ ચોમાસામાં ઓક્ટોબર 2023માં વરસાદ પડ્યો ન હતો. તેથી ગત વખતની સરખામણીએ હાલની સ્થિતિએ ડેમમાં પાણીનો સંગ્રહ 5.58 ટકા ઓછો છે. શુક્રવાર, 1 માર્ચ, 2024 સુધીમાં, મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં કુલ જળ સંગ્રહના 42.67 ટકા ઉપલબ્ધ છે. તેથી જ રાબેતા મુજબ પાણી પુરવઠાની આગાહીને ધ્યાનમાં રાખીને તેમજ મુંબઈના પાણી પુરવઠા પર વિપરીત અસર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મહાનગરપાલિકા દ્વારા 10 ટકા પાણી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ માત્ર રાજ્ય સરકાર તરફથી મળેલી બાંહેધરીથી પાણીમાં કોઈપણ પ્રકારનો ઘટાડો થશે નહીં.

આ સમાચાર પણ વાંચો : BSE Rejig: BSE ના સ્મોલ – મિ઼ડકેપ ઈન્ડેક્સમાં શેરમાં થશે મોટો ફેરફાર, હવે ઓલકેપ ઈન્ડેક્સમાં 59 શેરોનો થશે સમાવેશ

જો કે, વોટર એન્જિનિયરએ મુંબઈકરોને પાણીનો વિવેકપૂર્ણ અને સંયમપૂર્વક ઉપયોગ કરવા અને મહાપાલિકા વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરી છે. દરમિયાન પીસેના પમ્પીંગ સ્ટેશનમાં ઈલેક્ટ્રીકલ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાના કારણે 20 પૈકી 15 પંપ ચાલુ કરી દેવામાં આવ્યા છે અને એક ટ્રાન્સફોર્મર લગાવવાની પ્રક્રિયા 5 માર્ચ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યાં સુધી 15 ટકા પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે. તેથી, આ પાણી કાપ તકનીકી છે અને ટ્રાન્સફોર્મરનું કામ પૂર્ણ થયા પછી, આ કાપ પાછો ખેંચી લેવામાં આવશે અને મુંબઈકરોને પાણીનો પુરવઠો સુચારૂ થઈ જશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More