વાહ! મુંબઈનું પાણીકાપનું સંકટ ટળી જશે, એક જ દિવસના મુસળધાર વરસાદમાં જળાશયોમાં 9 ટકા પાણી વધી ગયું; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 19 જુલાઈ, 2021

સોમવાર

મુંબઈ, થાણે સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં પડી રહેલા મુસળધાર વરસાદને પગલે મુંબઈને પાણી પૂરું પાડનારાં જળાશયોની સપાટીમાં પણ વધારો થયો છે. એક જ દિવસના વરસાદમાં જળાશયોની સપાટીમાં 9 ટકાનો વધારો થયો છે. સોમવારના સવારના સાતેય જળાશયમાં 4 લાખ 15 હજાર 175 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક હતો.

 છેલ્લા ત્રણેક દિવસથી મુંબઈ સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. એમાં પણ  ભારે વરસાદને પગલે મુંબઈમાં આવેલું તુલસી અને વિહાર તળાવ છલકાઈ ગયાં છે. હવે બાકીનાં જળાશયોમાં પણ વરસાદને પગલે મોટા પ્રમાણમાં નવા પાણીની આવક થઈ છે. સોમવારના સવારના સાતેય જળાશયોમાં કુલ 28.68 ટકા જેટલો પાણીનો સ્ટૉક હતો. ગયા વર્ષે આ જ સમયે સાતેય જળાશયોમાં 27.3 ટકા તો 2019ની સાલમાં આ જ સમયે જળાશયોમાં 51.37 ટકા જેટલો પાણીનો સ્ટૉક હતો. 

આગામી પાંચ દિવસ મુંબઈ સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એથી જળાશયોમાં પણ સારો વરસાદ પડશે અને પાણીકાપનું સંકટ દૂર થશે એવો અંદાજો પાણીપુરવઠા ખાતાએ વ્યક્ત કર્યો છે.

મુંબઈ એરપોર્ટ પર ગરબાની રમઝટ થી સોશિયલ મીડિયા પર વિવાદ. પ્રાંતવાદ સપાટીએ આવ્યો. જુઓ વિડિયો, જાણો વિગત

સોમવાર સવાર સુધીમાં અપર વૈતરણામાં 155 મિલીમીટર, મોડક સાગરમાં 269.0 મિ.મી.,  તાનસામાં 293.0 મિ.મી.,  મિડલ વૈતરણામાં  306 મિ.મી. ભાતસામાં 201 મિ.મી.,  વિહારમાં 69 મિ.મી. અને તુલસીમાં 142.0 મિ.મી. જેટલો વરસાદ પડ્યો હતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More