મુંબઈ પછી હવે થાણામાં પાણીકાપ, શહેરના આ ભાગોમાં પાણીનો પુરવઠો બે દિવસ બંધ રહેશે; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021      

મંગળવાર

બુધવારથી ગુરુવાર સુધી થાણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે.

પ્રાપ્ત જાણકારી મુજબ 15 અને 16મી ડિસેમ્બરે મુંબઈ અને થાણેના કેટલાક ભાગોમાં જેકવેલમાંથી કચરો અને કાદવ દૂર કરવા અને ટેમઘર શુદ્ધિકરણ કેન્દ્રની કામગીરી હાથ ધરવામાં આવશે. 

આ માટે કેટલાક વિસ્તારોમાં થોડા સમય માટે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે તો કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવશે. 

જો કે પાણી પુરવઠા વિભાગે નાગરિકોને પાણીનો સંગ્રહ કરીને કોર્પોરેશનને સહયોગ આપવા અપીલ કરી છે.

બુધવારે સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી થાણે શહેરના ઈન્દિરાનગર, શ્રીનગર, લોકમાન્ય નગર, રામનગર, ડિફેન્સ, કિસાન નગર, ઘોડબંદર રોડ, પાટલીપાડા, હિરાનંદાની એસ્ટેટ, સમતાનગર, આકૃતિ, સિદ્ધેશ્વર, જોન્સન, ઈટર્નિટી, બ્રમહાંડ, વિજયનગરી, ગાયમુખ, બાલકુમ, કોલશેત, આઝાદનગરમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવશે. . 

બુધવારે રાત્રે 9 વાગ્યાથી ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી રિતુ પાર્ક, સાકેત, રૂસ્તમજી, કાલવા અને મુંબ્રા વિસ્તારમાં પાણીનો પુરવઠો બંધ રહેશે. 

શું નોરા ફતેહી અને ગુરુ રંધાવા એકબીજાને ડેટ કરી રહ્યાં છે? જાણો શા માટે લોકો પૂછી રહ્યા આવો સવાલ
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More