251
Join Our WhatsApp Channel
બોરીવલી પશ્ચિમમાં ગોરાઈ ખાડી પાસેના ગોરાઈ ગામ મનોરીમાં મંગળવારે પાણીની લાઇન તૂટી જવાના કારણે પાણીપુરવઠો ખોરવાઈ ગયો હતો.
પરિણામે, ગામના લોકોને બુધવારે આખો દિવસ પાણી વગર જ ગાળવાની ફરજ પડી હતી.
પૂર્વ બોરિવલી કૉર્પોરેટર શિવાનંદ શેટ્ટીએ તાત્કાલિક સ્થાનિક સહાયક મ્યુનિસિપલ કમિશનર સંતોષ ધોંડેને આ અંગે માહિતી આપી હતી. એ પછી, પાણીની લાઇનનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું.
જોકે પાણીની લાઇન કેવી રીતે તૂટી એનું કારણ જાણી શકાયું નથી.
ઉલ્લેખનીય છે કે મનોરી ખાતેનો આ પાણીપુરવઠો ગોરાઈ ગામના દોઢ હજાર ઘરોને પાણી પહોંચાડે છે.
You Might Be Interested In