Site icon

ભર ઉનાળે અષાઢી માહોલ! મુંબઈ સહિત રાજ્યના આ જિલ્લામાં કમોસમી વરસાદની વકી, જાણો કેવું રહેશે શહેરમાં હવામાન

Weather update: Rains to lash Mumbai, Thane, Palghar today, says IMD

ભર ઉનાળે અષાઢી માહોલ! મુંબઈ સહિત રાજ્યના આ જિલ્લામાં કમોસમી વરસાદની વકી, જાણો કેવું રહેશે શહેરમાં હવામાન

News Continuous Bureau | Mumbai

ભરઉનાળામાં ગઈ કાલે મુંબઈ અને આસપાસ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે તાપમાનમાં ઘટાડો થવાથી લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. ત્યારે મુંબઈ સહિત થાણે, પાલઘર, રાયગઢ જિલ્લામાં આજે પણ હળવો વરસાદ થવાની સંભાવના છે.  

Join Our WhatsApp Community

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. 24 અને 48 કલાક દરમિયાન તાપમાન 32 ડિગ્રી રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આથી મુંબઈગરાઓને ગરમીથી થોડી રાહત મળશે.  

આ સમાચાર પણ વાંચો: મહિનાના પહેલા દિવસે મોટી રાહત, LPG સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો, જાણો હવે કેટલા રૂપિયા આપવા પડશે..

રવિવારે સવારે કોલાબામાં 1.6 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે સાંતાક્રુઝમાં વરસાદ પડ્યો નહોતો. ઓટોમેટિક સિસ્ટમ પર કરાયેલા રેકોર્ડ મુજબ સવારે વિવિધ સ્થળોએ માત્ર પાંચ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. દહિસર ફાયર બ્રિગેડ સ્ટેશને 9 મિમી, એફ નોર્થ ડિવિઝન ઑફિસમાં 11.18 મિમી, જી સાઉથ ડિવિઝન ઑફિસમાં 14.22 મિમી વરસાદ નોંધાયો હતો. આમાંથી કેટલાક કેન્દ્રોમાં સવારે 8.30 વાગ્યા પહેલા વરસાદ પડ્યો હતો. 

આ વરસાદને કારણે સવારે હવામાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ત્યારબાદ ફરી ગરમી વધી ગઈ હતી. કોલાબામાં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે સાંતાક્રુઝમાં 25.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. કોલાબામાં મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે સાંતાક્રુઝમાં તે 32.2 ડિગ્રી સેલ્સિયસ હતું. લઘુત્તમ તાપમાન સરેરાશ જેટલું જ હોવા છતાં, મહત્તમ તાપમાન કોલાબામાં સરેરાશ કરતાં 1 ડિગ્રી અને સાંતાક્રુઝમાં 2 ડિગ્રી ઓછું હતું.

Mumbai attacks: મુંબઈ હુમલા પર ચિદમ્બરમની મોટી કબૂલાત, યુએસ વિદેશ મંત્રી કોન્ડોલીઝા રાઇસ ને લઈને કહી આવી વાત
Mumbai Weather: ઠાણે, પાલઘર, રાયગઢમાં ભારે વરસાદની સંભાવના,મુંબઈ માટે આજે જારી કરવામાં આવ્યું આ એલર્ટ! જાણોકેવું રહેશે હવામાન?
Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Bullet Train NMIA Link: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને નવી મુંબઈ એરપોર્ટ સુધી જોડવા માટે પ્રસ્તાવ,જાણો કાર્ય ની પ્રગતિ અને સમયરેખા
Exit mobile version