Site icon

ચક્રવાતને કારણે મુંબઈ શહેરમાં આટલાં બધાં વૃક્ષો કેમ ધરાશાયી થયાં? ખરું કારણ અત્યારે સામે આવ્યું….

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

 

મુંબઈ શહેરમાં ગત ૨૪ કલાક દરમિયાન 812 વૃક્ષ પડી ગયાં, જેમાંથી 504 વૃક્ષો ખાનગી જમીન પર આવેલાં છે, જ્યારે 308 વૃક્ષો સાર્વજનિક પરિસરમાં છે. આજથી અગાઉ એક દિવસમાં આટલાં બધાં વૃક્ષો ક્યારેય ધરાશાયી થયાં નથી. આથી પર્યાવરણવાદીઓ તેમ જ મુંબઈ મહાનગરપાલિકા એ વાતનું નિરીક્ષણ કરી રહી છે કે મુંબઈ શહેરનાં વૃક્ષો આટલાં નબળાં કેમ પડી ગયાં? હવે ધીમે ધીમે આ બાબત પરથી પડદો ઊઠવાની શરૂઆત થઈ ગઈ છે.

જે વૃક્ષો પડી ગયાં છે એમાંથી ૭૦ ટકા વૃક્ષો વિદેશી પ્રજાતિનાં છે. આ વૃક્ષોમાં ગુલમહોર, સોનમહોર, રેઇન ટ્રી અને રૉયલ પાન જેવાં વૃક્ષોનો સમાવેશ થાય છે. મુંબઈ મહાનગરપાલિકાએ નક્કી કર્યું છે કે એની પાસે હવે 41 એવાં વૃક્ષોની સૂચિ છે જે ભારતીય અને એમાં પણ ખાસ કરીને મુંબઈની પ્રજાતિનાં છે. હવેથી આ વૃક્ષોને જ મુંબઈ શહેરમાં ઉગાડવામાં આવશે.

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version