Site icon

ચક્રવાતને કારણે મુંબઈ શહેરમાં આટલાં બધાં વૃક્ષો કેમ ધરાશાયી થયાં? ખરું કારણ અત્યારે સામે આવ્યું….

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

 

મુંબઈ શહેરમાં ગત ૨૪ કલાક દરમિયાન 812 વૃક્ષ પડી ગયાં, જેમાંથી 504 વૃક્ષો ખાનગી જમીન પર આવેલાં છે, જ્યારે 308 વૃક્ષો સાર્વજનિક પરિસરમાં છે. આજથી અગાઉ એક દિવસમાં આટલાં બધાં વૃક્ષો ક્યારેય ધરાશાયી થયાં નથી. આથી પર્યાવરણવાદીઓ તેમ જ મુંબઈ મહાનગરપાલિકા એ વાતનું નિરીક્ષણ કરી રહી છે કે મુંબઈ શહેરનાં વૃક્ષો આટલાં નબળાં કેમ પડી ગયાં? હવે ધીમે ધીમે આ બાબત પરથી પડદો ઊઠવાની શરૂઆત થઈ ગઈ છે.

જે વૃક્ષો પડી ગયાં છે એમાંથી ૭૦ ટકા વૃક્ષો વિદેશી પ્રજાતિનાં છે. આ વૃક્ષોમાં ગુલમહોર, સોનમહોર, રેઇન ટ્રી અને રૉયલ પાન જેવાં વૃક્ષોનો સમાવેશ થાય છે. મુંબઈ મહાનગરપાલિકાએ નક્કી કર્યું છે કે એની પાસે હવે 41 એવાં વૃક્ષોની સૂચિ છે જે ભારતીય અને એમાં પણ ખાસ કરીને મુંબઈની પ્રજાતિનાં છે. હવેથી આ વૃક્ષોને જ મુંબઈ શહેરમાં ઉગાડવામાં આવશે.

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version