ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑક્ટોબર, 2021
બુધવાર
તમે ઘણાં લોકોને રસ્તા પર રખડતાં કૂતરા-બિલાડી જેવા પાલતું પ્રાણીઓને ખાવાનું ખવડાવતા જોયાં હશે. પણ હાલમાં જ સ્ટ્રે હેપ્પી ફાઉન્ડેશન અને જુહુ-વર્સોવા એનિમલ સીટીઝન ગ્રુપે સંયુક્ત રીતે એક દિવસનો કૂતરાઓ અને બિલાડીઓ માટે વેકસીનેશન અભિયાન જુહુમાં રાખ્યું હતું.
આ બાબતે ન્યુઝ કન્ટીન્યુઝ સાથે વાત કરતાં, જુહુ-વર્સોવા એનિમલ સીટીઝન ગ્રુપના નિધી ચતુર્વેદીજી એ જણાવ્યું હતું કે, “5 ઓક્ટોબરના રોજ તેમણે સ્ટ્રે હેપ્પી ફાઉન્ડેશન સાથે મળીને, જુહુ બીચ પર સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી કુતરાઓ અને બિલાડીઓનું વેકસીનેશન કર્યું હતું. આ સાથે તેમના કાન સાફ કર્યા અને નખ પણ કાપ્યા હતાં. તેઓ એ બિરલા ગાર્ડન, ગાંધી ગ્રામ, જુહુ ,રૂહિયા અને જુહુ બીચ વગેરે વિસ્તારના કુતરા-બિલાડીને વેકસીનેટ કર્યા હતા.”
આ અભિયાન વિશે વધુમાં, સ્ટ્રે હેપ્પી ફાઉન્ડેશનના માધવી ચતુર્વેદીજી એ જણાવ્યું હતું કે, “આ અભિયાનમાં અમે કુલ 131 કૂતરાઓ અને 25 બિલાડીઓનું રસીકરણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કૂતરાઓના સારા સ્વાસ્થ્ય માટે ન્યુટરિંગ પહેલા વેકસીનેશન કરવું આવશ્યક છે. આ દરમિયાન તેમને 9 ઈન 1 વેક્સીન આપવામાં આવી, સ્પોટ ઓન ફોર ટીક્સ, ડિવોર્મિંગ કરવામાં આવ્યું હતું. સાથે સાથે દરેક વેકસીનેટેડ કુતરા અને બિલાડીને નવો પટો પણ આપવામાં આવ્યો હતો.”
માધવી ચતુર્વેદીજી એ લોકોને સંદેશ પાઠવ્યો હતો કે, “લોકોએ પોતાની આસ-પાસ ના કૂતરાઓને ખાવાનું તો આપવું જ જોઈએ, પણ સાથે કુતરાઓનું પોપ્યુલેશન ન વધે તે હેતુથી તેઓનું ન્યુટરિંગ પણ કરાવવું જોઈએ. અને તેઓની સાથે પ્રેમથી વર્તવું જોઈએ કેમકે એ પણ પ્રેમના ભૂખ્યા છે.”