Site icon

Natural Farming: ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિમાં ખેડૂતોની રૂચિ વધી, હવે યુવાનો કૃષિ-શિક્ષણ મેળવી કરી રહ્યા છે આ કામ

Natural Farming: ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિમાં ખેડૂતોની રૂચિ વધી રહી છે. હવે યુવાનો કૃષિ-શિક્ષણ મેળવી ખેતી કરી વધુ આવક પ્રાપ્ત કરી રહ્યા છે.

Farmers' interest in natural agriculture has increased in Gujarat

Farmers' interest in natural agriculture has increased in Gujarat

 News Continuous Bureau | Mumbai

Natural Farming: ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિમાં ખેડૂતોની રૂચિ વધી રહી છે. હવે યુવાનો કૃષિ-શિક્ષણ મેળવી ખેતી કરી વધુ આવક પ્રાપ્ત કરી રહ્યા છે. રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના મેંગણી ગામના યુવાનો – ધવલભાઈ અને મોહિતભાઈ પાનસુરીયા તેનું ઉદાહરણ છે. આ યુવાનોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે તેમ જ ખેત-ઉત્પાદનમાં મૂલ્ય-વર્ધન કરી પોતાની મસાલા બ્રાન્ડ વિકસાવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Railway News: વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોક, રેલ વ્યવહાર પ્રભાવિત થશે

મહત્વની વાત એ છે કે શ્રી ધવલભાઈ પાનસુરીયાએ પ્લાન્ટ પેથોલોજીમાં એમ.એસ.સી કર્યું છે. આમ, તેમણે કૃષિ-શિક્ષણ પ્રાપ્ત કરી નવા અભિગમ સાથે ખેતી કરી. તેઓ 35 વીઘામાં ખેતીમાં મિશ્ર પાક લે છે. જેમાં મરચું, હળદર, ધાણા, જીરું, રાઈ, મેથી જેવા મસાલા સાથે ઘઉં, મગફળી, ચણા અને મગની ખેતી કરે છે. મરચામાં તે કાશ્મીરી, રેશમ સિંગલ પટ્ટો, રેશમ ડબલ પટ્ટો અને તીખી મરચી- જી 4 જાતનું વાવેતર કરે છે. તો ઘઉમાં સોનેરી ટુકડા અને વધુ ફાઈબરવાળા ચાવલકાઠી અને ગ્લુટન ફ્રી સોનામોતી જેવા જાતના ઘઉંનું વાવેતર કરે છે. પાનસુરીયા-બંધુ તેમની ખેત-પેદાશનું હોલસેલ તેમ જ રિટેલમાં વેચાણ કરે છે.

Western Rialway : ભુજ-રાજકોટ વચ્ચે મુસાફરી વધુ સરળ: પશ્ચિમ રેલવે શરૂ કરશે ત્રિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેન.
Railway News: વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોક, રેલ વ્યવહાર પ્રભાવિત થશે
Western Railway : મુસાફરોની સુવિધા માં વધારો, ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન નું આ સ્ટેશનો પર અપાયું વધારાનું સ્ટોપેજ…
Railway : રાજકોટ ડિવિઝનના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોક, આ એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત થશે.
Exit mobile version