News Continuous Bureau | Mumbai
Surat: રાષ્ટ્રની એકતા ( National Unity Day ) અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને ( martyrs ) શ્રદ્ધાંજલિ આપવા આયોજિત ‘મારી માટી મારો દેશ’ ( meri maati mera desh abhiyan ) અભિયાનની રાષ્ટ્રવ્યાપી ભવ્ય ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકારના ( Central Govt ) યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય ( Ministry of Sports ) હેઠળ દિલ્લીના રાષ્ટ્રપતિભવન ( Rashtrapati Bhavan ) ખાતે ‘અમૃત કળશ યાત્રા’ ( Amrit Kalash Yatra ) યોજાઈ હતી. નેહરુ યુવા કેન્દ્ર ( Nehru Youth Centre ) -સુરત તરફથી સુરત જિલ્લામાંથી ૧૮ પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવી હતી. જેમના દ્વારા રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું.
જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ નેહરૂ યુવા કેન્દ્ર-સુરતના પ્રતિનિધિ તારીકે ગૌરવ પડાયા, દિપક જયસ્વાલ, મનોજ દેવીપૂજક, સત્યેન્દ્ર યાદવ, પરેશ વસાવા, વિજય ગુલીઉમર વગેરે જેવા સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
આઝાદી નું અમૃત મહોત્સવ ના સમાપન સમારોહ સંદભે રાષ્ટ્રીય કક્ષાએ દિલ્લી ખાતે “મારી માટી મારો દેશ” અભિયાન અંતર્ગત ‘અમૃત કળશ યાત્રા’ ની ભવ્ય ઉજવણી.
આ સમાચાર પણ વાંચોઃ Central Government : કેન્દ્ર સરકારે એનસીસીએફ, નાફેડ, કેન્દ્રીય ભંડાર અને રાજ્ય સહકારી મંડળીઓ મારફતે રૂ. 25 પ્રતિ કિલોના હિસાબે ડુંગળીનો આક્રમક નિકાલ શરૂ કર્યો.
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ભારત ના માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી હતા. આ કાર્યક્રમમાં ભારતભરમાંથી દરેક ગામની માટી એકત્ર કરવામાં આવી . આ માટીનું ઋણ ચૂકવવા અને વીરોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા પ્રધાનમંત્રીશ્રી દ્વારા તેમના મસ્તિક પર તિલક રૂપે લગાવી હતી. આ કાર્યક્રમમાં ભારતના દરેક પ્રાંતના લોકોએ પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.