News Continuous Bureau | Mumbai
CREDAI Surat CR Patil : વરસાદી પાણીના એક એક ટીપાનો સંચય અને સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી ‘જળસંચય જન ભાગીદારી અભિયાન’ અંતર્ગત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને સુરત ક્રેડાઈના ઉપક્રમે અવધ યુટોપીયા ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી ( CR Patil ) એ કહ્યું કેમ જળસંચય અભિયાન હેઠળ પાણીરૂપી પારસમણીને સંગ્રહ કરવાના કાર્યનો સમગ્ર રાજ્યમાં પ્રારંભ થઈ ચુકયો છે. સમગ્ર ગુજરાતમાં ૮૦,૦૦૦ બોરને લગતા વોટર હાર્વેસ્ટિંગના કામો કરવાનું કમિટમેન્ટ મળ્યું છે. આવનારા સમયમાં ગુજરાતમાં બે થી અઢી લાખ રેઈન વોટર હાર્વેસ્ટિંગના કાર્યોનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે એમ જણાવી વરસાદી પાણીનું યોગ્ય મેનેજમેન્ટ કરી એક એક ટીપાને યોગ્ય મેનેજમેન્ટ કરી ભૂગર્ભમાં ઉતારવાનો તેમજ જિલ્લાના બિન ઉપયોગી અને બંધ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરી ફરી તેજ પાણીનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.
તાજેતરમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજયની ૨૦ નદીઓ જોડવા પર હસ્તાક્ષર થઈ ચુક્યા છે એમ જણાવી વધુમાં કહ્યું કે, ‘ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં’ જ રહે અને ભૂગર્ભ જળ રિચાર્જ થાય તે માટે ‘જળસંચય અભિયાન’ આશીર્વાદરૂપ નીવડશે. અત્યાર સુધી આપણે પાણી મેળવવા બોર કરતા હતા પરંતુ સમય અને સંજોગોને ધ્યાને લઇને વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે અભિયાન ઉપાડયું હોવાનું ઉમેર્યું હતું.
મંત્રી એ કહ્યું કે, ૧૪/૪૫ ના મકાનમાં ૧૦૦ એમ એમ વરસાદ પડે તો પણ તેના દ્વારા એક લાખ લીટર પાણીને ભૂગર્ભમાં ઉતારી શકાય છે. ક્રેડાઈના સભ્યોને પોતાના ઘર, મહોલ્લા અને સોસાયટીમાં પાણીનું મહત્વ સમજીને જળસંચયના ( Jal Sanchay Jan Bhagidari ) કાર્યો કરવાની હાંકલ કરી હતી.
આજે સુરત શહેર ખાતે “ક્રેડાઇ” દ્વારા યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો, માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન અંતર્ગત
“જળ સંચય, જન ભાગીદારી” અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ક્રેડાઇનાં સૌ સભ્યો સાથે “જળ સંચય” વિશે સંવાદ… pic.twitter.com/pUFByWtop6— C R Paatil (@CRPaatil) September 27, 2024
આ અવસરે ક્રેડાઈના ચેરમેન સંજયભાઈ માંગુકીયાએ જણાવ્યું હતું કે, કુદરતે આપણને ઘણા સંસાધનો આપ્યા છે, ત્યારે આપણે પણ કુદરતને કંઈક આપવાનું છે. જેથી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાથી આવનારી પેઢી સાથે સમગ્ર માનવજાતિની ઉમદા સેવા થઈ શકશે. એમ જણાવી આ તકે તેમણે સૌને જળ સંચય જન ભાગીદારીના અભિયાનમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Global Innovation Index 2024: ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2024માં ભારત પહોંચ્યું 39મા સ્થાને, PM મોદીએ કરી આ સિદ્ધિની પ્રશંસા.
આ પ્રસંગે ક્રેડાઈના પ્રમુખ ડો.જિજ્ઞેશ પટેલે આવનારી પેઢીને સમૃદ્ધ જળવારસો ( Rainwater Harvesting ) આપવા જળસંચય અભિયાનમાં વધુને વધુ સભ્યો જોડાઈને તેને સફળ બનાવવા હાંકલ હાકલ કરી હતી.
આ તકે સુરત ક્રેડાઈ એસોસિયેશન દ્વારા ૧૧૧૧ બોર હાર્વેસ્ટિગના ( Boar Harvesting ) કામો કરવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણી, ક્રેડાઈના ઉપપ્રમુખ મગનભાઈ ડોબરિયા, સંગઠન પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, ક્રેડાઈના સભ્યો સર્વે લવજીભાઈ, સંજયભાઈ દેસાઈ, મનોજભાઈ અગ્રવાલ, સંજય સુરાના, જેન્તીભાઈ એકલેરા, શ્રેયાંશભાઈ, વિજયભાઈ ધામેલિયા, તથા મોટી સંખ્યામાં અન્ય ક્રેડાઈના હોદ્દેદારો, અગ્રણી ઉદ્યોગકારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)