Site icon

Fish Farming: જિલ્લા પંચાયતની મત્સ્ય ઉછેર માટે નવતર પહેલ, કુલ આટલા તળાવોને ઈજારા પર અપાયા

Fish Farming; જિલ્લા પંચાયતની મત્સ્ય ઉછેર માટે નવતર પહેલની આગેકૂચ

Fish Farming District Panchayat's innovative initiative for fish farming, total number of lakes given on monopoly

Fish Farming District Panchayat's innovative initiative for fish farming, total number of lakes given on monopoly

News Continuous Bureau | Mumbai

Fish Farming: થોડા દિવસો અગાઉ સુરત જિલ્લા પંચાયત ની મત્સ્ય ઉદ્યોગ કચેરીના ઉપક્રમે સુરત જિલ્લાના ૪૧ તળાવોને મત્સ્ય ઉછેર માટે ટેન્ડર પદ્ધતિથી ઇજારા આપવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી, જેની સફળતા બાદ વધુ ૧૬ તળાવોની મત્સ્ય ઉછેર માટે ઇજારદારોને ફાળવણી કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Road Accident Treatment: મહારાષ્ટ્રના રોડ અકસ્માતમાં ઘવાયેલા ભરતસિંહના મફતમાં થઇ સારવાર, નવી સિવિલમાં વિના ઓપરેશન સ્વસ્થ થયા..

Fish Farming: તાજેતરમાં ૪૧ તળાવોને ઈજારા પર અપાયા હતા ત્યારે જિ.પંચાયતના પ્રમુખશ્રીએ અન્ય ગ્રામ પંચાયતોને આ પહેલમાં જોડવા માટે આગ્રહ કર્યો હતો, પરિણામે વધુ નવા ૧૬ તળાવોને મત્સ્યઉછેર માટે ઈજારા અપાયા છે. આમ અત્યાર સુધી જિલ્લા પંચાયત, મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા જિલ્લાના કુલ ૫૭ જેટલા તળાવોને મત્સ્ય ઉછેર માટે ઈજારા પર અપાયા છે. જેનાથી ગ્રામ પંચાયતોને વર્ષે ૪.૭૫ કરોડથી વધુની માતબર આવક થશે. આમ, ગ્રામ-પંચાયતની સ્વ-ભંડોળની આવકમાં વધારો થતા ગામમાં સુવિધાઓ વધવાની સાથે સ્થાનિક રોજગારીની તકોમાં પણ વધારો થશે અને ગામના વિકાસને વેગ મળશે. જિલ્લા પંચાયતની ગ્રામ પંચાયતોને સ્વનિર્ભર બનાવવા અને આવકમાં વધારો કરવાની પહેલથી વર્ષોથી એમ જ ખાલી પડેલા તળાવોની પણ જાળવણી થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version