News Continuous Bureau | Mumbai
Fit India Run : વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) અર્ધલશ્કરી દળોને સામાન્ય લોકોની વચ્ચે જઈને તેમને શારીરિક રીતે સ્વસ્થ(healthy) રહેવાનો સંદેશ આપવા અને તેમને જાગૃત કરવા આહ્વાન કર્યું છે. આરોગ્ય જાગૃતિના આ અભિયાનને ફિટ ઈન્ડિયા રન 4.0 નામ આપવામાં આવ્યું છે. આ સંદર્ભે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ- CISF યુનિટ KGPP કવાસના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી સુરેન્દ્ર કુમાર સોનકરિયાના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે ચોર્યાસી તાલુકાના સુવાલી બીચ(Suvali Beach), મોરા ખાતે ફિટ ઈન્ડિયા રન યોજાઈ હતી. જેમાં CISF ના અધિકારી-કર્મચારીઓએ ‘સ્વસ્થ ભારત, સ્વસ્થ સમાજ’નો સંદેશ આપ્યો હતો. ઉપસ્થિત સૌ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા, આદર્શ જીવનશૈલી અપનાવવા અને નિયમિતપણે વ્યાયામ(Exercise) કરવા સંકલ્પબદ્ધ થયા હતા.
આ સમાચાર પણ વાંચો : Birthday Special: કૃતિ ખરબંદાએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી કરી કરિયરની શરુઆત, જાણો જ્વેલરી ડિઝાઇનર કેવી રીતે આવી ફિલ્મોમાં