News Continuous Bureau | Mumbai
Surat : અનુસૂચિત જાતિમાં ( scheduled castes ) અતિપછાત જાતિ એવી ગુરૂબ્રાહ્મણ જ્ઞાતીના ( Guru Brahmin Samaj ) યુવાનોને વૈકલ્પિક રોજગારી ( employment ) મળે અને હિન્દુ ધર્મના જુદા-જુદા સંસ્કારોની જાણકારી મળે તે હેતુથી સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરૂબ્રાહ્મણ સમાજના યુવકોને જોડાવા માટે ધો.૧૦ સુધીનો અભ્યાસ, ૪૫ વર્ષ ઉંમર સુધીના તાલીમમાં જોડાઈ શકશે. તાલીમ દરમ્યાન રહેવા જમવાની સગવડ વિના મૂલ્યે મળશે. દક્ષિણ ગુજરાતમાં સમાવિષ્ટ થતા જિલ્લાઓમાંથી રસ ધરાવતા ઉમેદવારોએ ( Candidates ) તા.૨૫/૦૬/૨૦૨૪ સુધીમાં નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, બહુમાળી મકાન, સી બ્લોક છઠ્ઠો માળ, નાનપુરા સુરત પીન-૩૯૫૦૦૧, ખાતે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, માર્કશીટની પ્રમાણીત નકલો, મોબાઈલ નંબર સાથે સાદા કાગળમાં અરજી મોડામાં મોડ સાંજના ૦૫.૦૦ કલાક સુધીમાં રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા મળે તે રીતે મોક્લી આપવાની રહેશે. ત્યારબાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહી. અગાઉના વર્ષમાં જેઓએ તાલીમ લીધેલ હોય, તેઓને પ્રવેશ મળવા પાત્ર નથી તેમ નાયમ નિયામક એમ.વી. પટેલની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : Surat : સુરત જિલ્લાના જાહેર આનંદ-પ્રમોદના સ્થળોને નિયમન કરવા અંગેનું જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. સૌરભ પારઘીનું ‘પ્રાથમિક જાહેરનામું’
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.