News Continuous Bureau | Mumbai
International Yoga Day: છેલ્લા ઘણાં વર્ષોથી યોગ સાથે જોડાયેલા અને નિયમિત રીતે ગ્રૂપમાં યોગાભ્યાસ ( Yoga practice ) કરતાં સુરતના ( Surat ) હિનાબેન પટેલ પોતાની તંદુરસ્તીનું રહસ્ય યોગને આપે છે. યોગને કારણે શરીરમાં ફ્લેક્સિબિલિટી વધવાની સાથે એનર્જી પણ વધે છે એમ જણાવતા હિનાબેન બદલાતી જીવનશૈલી સાથે શારીરિક સ્વસ્થતાનો તાલમેલ સાધવાનો શ્રેય નિયમિત યોગને આપે છે.
હિનાબેન ( Hinaben Patel ) જણાવે છે કે, અમે વર્ષોથી સાથે ગ્રૂપમાં યોગ કરી છીએ જેથી નિયમિત યોગ કરવાનો કંટાળો નથી આવતો. તેમજ જ્યારે પણ નવા આસનો કરવા હોય ત્યારે જરૂરી પ્રોત્સાહન મળી રહે છે. તેઓ કહે છે કે, વધતી ઉંમરે શારીરિક ( Physical fitness ) રીતે સ્વસ્થ અને એક્ટિવ રહેવા ‘માટે રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપવું જરૂરી છે. સાથે જ તેમણે દરેકને ‘EVERYDAY IS YOGDAY’નાં સૂત્ર સાથે રોજ યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ અને નિરોગી રહેવાનું આહ્વાન કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Water Tunnel: વડાલા અને પરેલ વચ્ચે 5.25 કિલોમીટર લાંબા પાણીના ટનલનું બ્રેક-થ્રુ રહ્યું સફળ.. જાણો વિગતે..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.