Surat Natural Farming : સુરતના ઉમરપાડામાં યોજાયો પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ, ખેડુતોને ‘આ’ ખેતી અંગે આપવામાં આવ્યું ઉપયોગી માર્ગદર્શન..

News Continuous Bureau | Mumbai

Surat Natural Farming :  પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયાસો કરી રહી છે. સુરત જિલ્લામાં  આત્મા પ્રોજેકટ દ્વારા પ્રાકતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના  ગામે ખેડુતોને પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડુતોને ગાય આધારિત ખેતી કરીને કેવી રીતે ખેતી ખર્ચ ધટાડી શકાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને રવિ પાકોમાં ધઉ, શાકભાજી, તુવેર, ચણા જવા પાકોમાં જીવામૃત, ધનજીવામૃત, અગ્ર્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપણીઅર્ક  જેવી દવાઓ ઘરબેઠા બનાવીને ખેતીપાકોમાં છંટકાવ કરીને જીવાતો પર નિયંત્રણ કરી શકાય છે તે અંગે ખેતીવાડી વિભાગના અધિકારી, આત્મા પ્રોજેકટના, તથા ફાર્મર માસ્ટર ટ્રેનર દ્વારા ખેડુતોને ( Surat Natural Farming ) ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો:   Urea Fertilizer: ખેડૂતો માટે સારા સમાચાર, રશિયા – યુક્રેન યુદ્ધ હોવા છતાં કેન્દ્ર સરકારે આ વસ્તુના વાજબી ભાવે ઉપલબ્ધતા કરી સુનિશ્ચિત.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.