Saras Mela 2025 :સુરતના અડાજણ ખાતે સરસ મેળાનું આયોજન, ૧૫ માર્ચ સુધી ખૂલ્લો રહેશે મેળો

Saras Mela 2025 :આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે આયોજિત સરસ મેળામાં ૧૫૦ જેટલા મહિલા જૂથોના સ્ટોલ્સ છે, જેમાં રાજ્યના ૧૦૦, અન્ય રાજ્યના ૫૦ સ્ટોલ દ્વારા કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ થઇ રહ્યું છે. ‘વોકલ ફોર વોકલ’ નેમને સાકાર કરતો સરસ મેળો સ્વસહાય જૂથોની મહિલાઓ માટે ઉત્તમ આજીવિકાનું ઉત્તમ પ્લેટફોર્મ બન્યું છે.

 News Continuous Bureau | Mumbai

Saras Mela 2025 :

Join Our WhatsApp Community

 ‘આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ગામ’ની થીમ સાથે તા.૬ થી ૧૫ માર્ચ દરમિયાન હનીપાર્ક ગ્રાઉન્ડ, SMC પાર્ટીપ્લોટ, અડાજણ ખાતે આયોજિત ‘સરસ મેળો-૨૦૨૫’ ને આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. ૧૫ માર્ચ સુધી આ મેળો સવારે ૧૦.૦૦ થી રાત્રિના ૧૦.૦૦ સુધી ખૂલ્લો રહેશે.

Saras Mela 2025 Saras Aajeevika Mela 2025 is being organized from 7th to 15th March

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ મહિલા સ્વ-સહાય જૂથોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે આયોજિત સરસ મેળામાં ૧૫૦ જેટલા મહિલા જૂથોના સ્ટોલ્સ છે, જેમાં રાજ્યના ૧૦૦, અન્ય રાજ્યના ૫૦ સ્ટોલ દ્વારા કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ થઇ રહ્યું છે. ‘વોકલ ફોર વોકલ’ નેમને સાકાર કરતો સરસ મેળો સ્વસહાય જૂથોની મહિલાઓ માટે ઉત્તમ આજીવિકાનું ઉત્તમ પ્લેટફોર્મ બન્યું છે.

સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી હસ્તકલા સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જુથોના ઉત્પાદનોને ‘સરસ મેળા’ થકી ખરીદવાની તક સુરતવાસીઓને મળી છે.

SARAS Mela : સુરતના અડાજણ ખાતે યોજાશે ઉદ્દેશ્યથી ‘સરસ મેળો-૨૦૨૫’, કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલ મૂકશે ખૂલ્લો

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથો (સખી મંડળો)ને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાનો આશય છે, ત્યારે સુરતીજનોને સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરીને સ્વદેશી અને ગ્રામ નિર્માણના સ્વપ્નને સાકાર કરવાની ઘરઆંગણે તક મળી છે. સુરતવાસીઓ સરસ મેળાનો અચૂક લાભ લે અને સ્વસહાય જૂથોને પ્રોત્સાહિત કરે તેવો અનુરોધ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલે કર્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંદીપ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ. બી. પ્રજાપતિ, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી.ના અધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવો, સ્વસહાય જૂથોના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

સરસ મેળાના અવનવા આકર્ષણો:-

 થીમ પેવેલિયન: સખી બહેનોની પ્રેરક સફળતાની ગાથાઓ અને તેમની કલાકારીગરીનું પ્રદર્શન
 કિડ્સ ઝોન: બાળકો માટે મનોરંજક પ્રવૃત્તિઓ અને આનંદદાયક અનુભવ.
 કેફેટેરિયા: સ્વસહાય જૂથના બહેનો દ્વારા તૈયાર કરાયેલી સ્વાદિષ્ટ સ્થાનીય વાનગીઓ.
 સાંસ્કૃતિક કાર્યક્રમ: લોકલ આર્ટિસ્ટ દ્વારા સંગીત નાઇટ, કોમેડી શો અને અન્ય આકર્ષક કાર્યક્રમો રજૂ કરાશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version