Surat Seva Setu Program: સુરતમાં યોજાશે સેવા સેતુના કાર્યક્રમો, રેશનકાર્ડ, આવકના દાખલાઓ સહિત આ યોજનાઓના લાભો મળશે એકજ સ્થળે

Surat Seva Setu Program: તા.૧૭મી સપ્ટે.થી ૩૧મી ઓકટો. દરમિયાન સેવા સેતુના કાર્યક્રમો યોજાશે. રેશનકાર્ડ, આવકના દાખલાઓ સહિતની ૫૫ જેટલી યોજનાઓના કામો અને લાભો એક સ્થળે મળશે. તા.૧૭મીએ સવારે ૯.૦૦ વાગે જિલ્લાના નવ તાલુકાના નવ ગામોમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે

by Hiral Meria
Seva Setu programs to be held in Surat, benefits of these schemes including ration card, income forms will be available at one place.

News Continuous Bureau | Mumbai

Surat Seva Setu Program:  ગુજરાતના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતઓના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ ( Seva Setu  ) ગ્રામ્ય તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ શહેરીકક્ષાએ ૧૦માં તબક્કાનું તા.૧૭/૦૯/૨૦૨૪ થી ૩૧/૧૦/૨૦૨૪ દરમિયાન યોજાનાર છે. સેવા સેતુમાં ૫૬ જેટલી સેવાઓને આવરી લેવામાં આવી છે.  

              આગામી તા.૧૭/૦૯/૨૦૨૪ના રોજ સવારે ૯.૦૦ વાગે સુરત ( Surat  ) જિલ્લાના ચોર્યાસી તાલુકાના લાજપોર ગામે, કામરેજના શામપુરા, મહુવાના ઓડચ, પલસાણાના ખરભાસી ગ્રામ પંચાયત ખાતે, માંગરોળના વેલાછા પ્રા.શાળા, માંડવીના માલ્ધાની મુખ્ય શાળા, ઉમરપાડાના કેવડી પ્રા.શાળા, ઓલપાડના કુદિયાણા તથા બારડોલીના આફવા ગામે સેવાના કાર્યક્રમ યોજાશે. જેમાં આસપાસના ગ્રામજનોને બહોળી સંખ્યામાં લાભ લેવાનો ( Seva Setu Services ) અનુરોધ કરવામાં આવ્યો છે.

            આ સેવા સેતુમાં આધાર, રાશનકાર્ડ ( Ration card ) નોંધણી સહિતના સુધારા-વધારાઓ, ફી શીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમ્યાન દિવ્યાંગતા પ્રમાણપત્રો, કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના, નમોશ્રી યોજના, આયુષ્યમાન કાર્ડનો લાભ, જન્મ-મરણ તથા લ્ગન નોંધણીના પ્રમાણપત્ર, જનધન યોજના અન્વયે બેંક એકાઉન્ટ ખોલાવવા, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, જાતિ પ્રમાણપત્રો, આવકના દાખલાઓ, નોન ક્રિમીલેયર પ્રમાણપત્રો, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના તથા અન્ય પેન્શન યોજનાઓ ( Pension Scheme ) , બસ કન્સેશન પાસ – દિવ્યાંગ માટે જેવી ૫૫ યોજનાઓનો લાભ એકજ સ્થળે મળશે. કેમ્પ સવારે ૯.૦૦ વાગે શરૂ થશે. સવારે ૯.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા દરમિયાન અરજદારો પાસેથી રજુઆતો અને પુરાવા મેળવાશે. ત્યારબાદ ૩.૦૦ થી ૫.૦૦ કલાક દરમ્યાન અરજદારોને તેમણે કરેલ રજૂઆતોના આખરી નિકાલ કરવામાં આવશે. જ્યાં પ્રમાણપત્ર ( Digital Seva Setu ) સ્વરૂપે સેવા આપવાની થતી હોય ત્યાં હાથોહાથ સેવાની સુપ્રદગી કરવામાં આવશે.   

આ સમાચાર પણ વાંચો :  PM Surya Ghar Muft Bijli Yojana: પી.એમ. સૂર્યઘર વીજળી યોજના હજારો સુરતીઓ માટે બની આશીર્વાદરૂપ, સુરતમાં આટલા ઘરોમાં સોલાર પેનલો કરવામાં આવી ઈન્સ્ટોલ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More