Surat Crime: સુરતમાં એક જ પરિવારના 7 સભ્યો આપઘાત કરતાં અરેરાટી!! દોઢ પાનાની સુસાઈટ નોટમાં કર્યો આ ઉલ્લેખ… જાણો સંપુર્ણ મામલો વિગતે..વાંચો અહીં..

Surat Crime: ગુજરાતના સુરતમાં બનેલી એક ઘટનાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. ગુજરાતના સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાએ દિલ્હી બુરારી મિસ્ટ્રી ડેથ કેસની યાદ અપાવી દીધી છે….

by Hiral Meria
Surat Crime 7 members of the same family committed suicide in Surat. This was mentioned in a one-and-a-half-page suicide note…

News Continuous Bureau | Mumbai 

Surat Crime: ગુજરાત ( Gujarat ) ના સુરતમાં બનેલી એક ઘટનાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટનાએ દિલ્હી (Delhi) બુરારી મિસ્ટ્રી ડેથ કેસની ( mystery death case ) યાદ અપાવી દીધી છે. આ ઘટનાથી ગુજરાત સહિત સમગ્ર દેશ હચમચી ગયો હતો. ગુજરાતના સુરતમાં એક જ પરિવારના સાત સભ્યો ( family members )આત્મહત્યા ( suicide ) કરી લીધી છે. પોલીસ તપાસમાં બહાર આવેલી પ્રાથમિક માહિતી મુજબ સમગ્ર પરિવારે આર્થિક તંગીના ( Financial Crisis  ) કારણે આપઘાત કર્યો હોઈ શકે છે. સાત લોકોના પરિવારમાં ત્રણ નાના બાળકોનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતના સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે. આર્થિક તંગીના કારણે આપઘાત કર્યાની પોલીસ પ્રાથમિક માહિતી મેળવી રહી છે. આ સાત લોકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. કનુભાઈ સોલંકી અને તેમના પરિવારજનોએ તેમના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી છે. કનુભાઈના પુત્ર મનીષની લાશ પંખાથી લટકતી હાલતમાં મળી આવી હતી. કનુભાઈ, તેમના પત્ની શોભનાબેન, મનીષની પત્ની રીટા બેન, મનીષની 10 અને 13 વર્ષની પુત્રીઓ દિશા અને કાવ્યા અને પુત્ર કુશલના મૃતદેહ પથારીમાં પડેલા મળી આવ્યા હતા.

ચોંકાવનારી ઘટના અંગે માહિતી આપતા ઝોન 5ના ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે આ ઘટના અડાજણ વિસ્તારના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં બની હતી. એપાર્ટમેન્ટના પહેલા માળે કનુભાઈ સોલંકી તેમના પરિવાર સાથે રહેતા હતા. કનુભાઈના પુત્ર મનીષ ઉર્ફે શાંતુ સોલંકીની લાશ પંખાથી લટકતી હાલતમાં મળી આવી હતી, જ્યારે કનુભાઈ, તેની પત્ની શોભનાબેન, મનીષની પત્ની રીટા, મનીષની 10 અને 13 વર્ષની પુત્રીઓ દિશા અને કાવ્યા અને નવજાત પુત્ર કુશલના મૃતદેહ પથારી પર મળી આવ્યા હતા.

ઘરમાંથી એક સુસાઈડ નોટ અને એક ખાલી બોટલ મળી આવી…

ઘટના અંગે માહિતી આપતા ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, “પોલીસના જણાવ્યા મુજબ, મનીષ સોલંકી ઈન્ટીરીયર ડીઝાઈન અને ફર્નિચરનો વ્યવસાય કરતો હતો. ઘરમાંથી એક સુસાઈડ નોટ અને એક ખાલી બોટલ પણ મળી આવી હતી, જેમાં સંભવતઃ ઝેર હતું. સુસાઈડ નોટ ( Suicide note ) અને પોલીસે ખાલી બોટલ કબજે કરી તપાસ માટે મોકલી આપી હતી.તપાસમાં જાણવા મળ્યું હતું કે મનીષ સિવાયના તમામ મૃતકોએ ઝેર પીધું હતું.મનિષના ઘરેથી મળેલી સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે લોકોને આપેલા પૈસા પરત ન આવવાના કારણે આર્થિક તંગીના કારણે તેણે આત્મહત્યા કરી છે.

ઘટના અંગે સુરતના મેયર નિરંજન જાંઝમેરાએ જણાવ્યું હતું કે, “મનીષ સોલંકીએ ફાંસી લગાવતા પહેલા તેના પરિવારના સભ્યોને ઝેર આપ્યું હોય તેવું લાગે છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: ઈઝરાયેલની સેનાએ ગાઝામાં હુમલા કર્યા તેજ, તુર્કીના રાષ્ટ્રપતિ થઈ ગયા ગુસ્સે અને કહ્યું- આ પાગલપન… .

2018માં રાજધાની દિલ્હીમાં બનેલી એક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. દિલ્હીના બુરાડી વિસ્તારમાં એક જ ઘરમાંથી 11 મૃતદેહો મળી આવ્યા હતા. મૃતકોમાં સાત મહિલાઓ અને ચાર પુરૂષોનો સમાવેશ થાય છે. તમામ મૃતકો એક જ પરિવારના સભ્યો હતા. તમામે આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે પરિવારના તમામ સભ્યોએ અંધશ્રદ્ધાના કારણે આત્મહત્યા કરી છે. તમામ મૃતદેહો ઘરની અંદર લટકેલા મળી આવ્યા હતા. દિલ્હીના બુરાડીમાં રહેતા ભાટિયા પરિવારના 11 સભ્યોના મૃતદેહ લટકેલા મળી આવ્યા હતા. દિલ્હીમાં જે ઘરમાં આ 11 લોકોના મોત થયા હતા તે ઘરમાંથી 11 પાઇપ મળી આવ્યા હતા. આ પાઈપોને લઈને પોલીસ સમક્ષ અનેક સવાલો ઉભા થયા છે.

પરોપકાર, ભલમંતશાહી, દયાળુ અને સત્યભાવ મને હેરાન કરી ગયું..

મનીષ કનુભાઈ સોલંકીએ દોઢ પાનાની સુસાઈટ નોટમાં લખ્યું છે કે, “પરોપકાર, ભલમંતશાહી, દયાળુ અને સત્યભાવ મને હેરાન કરી ગયું, રૂપિયા લીધા પછી કોઈ પાછા આપતા નથી. ઉપકાર નો બદલો કોઈ પાછો આપતો નથી. મારી જિંદગી માં મેં ઘણાને મદદ કરી છે. મારા બાળકો અને મારા પિતાની ચિંતા સતત મને મારી નાંખતી. રિટાબેન તારું ધ્યાન રાખજે, ઘનશ્યામ, જિન્નાભાઈ અને બાલાભાઈ બધા રીટાબેનનું ધ્યાન રાખજો. જાણતા-અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અમારી જાતિના કારણ જવાબદાર વ્યક્તિઓના નામ લખવા નથી ,જેને કુદરત જરૂરથી પરચો આપશે. તે કદી સુખી નહિ થશે. કોઈના નામ લખવામાં અમને સંકોચ થશે. કુદરત જાણે છે બંધુ, જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈને હેરાન નહિ કરીએ.”

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More