News Continuous Bureau | Mumbai
Teachers Day: ભારતમાં પ્રાચીન કાળથી ગુરૂશિષ્ય પરંપરાનો અનેરો મહિમા રહ્યો છે. ગુરૂનો આશ્રમ એટલે એક પ્રકારનું આગવું શિક્ષણધામ અને છાત્રાલય, જ્યાં નિશ્ચિત સમય માટે રહી શિષ્યો વિવિધ જ્ઞાન મેળવતા. ગરુ-શિષ્યના પવિત્ર સંબંધો તેમજ શિક્ષણની આગવી ગુરૂકુળ પ્રણાલીના સાક્ષી એવા આ દેશમાં બદલાતા સમય સાથે ગુરૂ, શિષ્ય અને ગુરુકુળ એટલે છાત્રાલયોના રૂપ અને પધ્ધતિ બદલાયા છે. પણ આજે પણ એવા ગુરૂઓ ( Teachers ) પણ છે, જેઓ વિદ્યાર્થીઓને પુસ્તક સિવાયનું મૂલ્યનિષ્ઠ જ્ઞાન આપી તેઓને નવા પડકારોને ઝીલવા સાથે બાહ્ય દુનિયા માટે તૈયાર કરે છે.

teachers in this school of Surat Preparing children for the outside world through value-based education

teachers in this school of Surat Preparing children for the outside world through value-based education
સુરતના ( Surat ) ઓલપાડ તાલુકાની સરસ પ્રા.શાળાના શિક્ષિકા ( Saras Primary School ) શ્વેતાબેન ઉપાધ્યાય તદ્દન અનોખી રીતે બાળકોને ગણિત અને પર્યાવરણના પાઠ ( Math lesson ) ભણાવે છે. તેઓ આસપાસમાંથી ઉપલબ્ધ સામગ્રી દ્વારા સ્વનિર્મિત એક્રોબેટ, શેડોપપેટ, ગિલોલગન, હેડ શેકિંગ ડોલ, વૂડ ફિકર, હાઇડ્રોલિક જેક, ચુંબકીય ભમરડો, પિકિંગ બર્ડ જેવા રમકડાં બનાવી વિજ્ઞાનના કેંદ્રત્યાગીબળ, ગુણકપરાવર્તન, ગતિઉર્જા, સ્થિતિઉર્જા, ઘર્ષણબળ, ચુંબકીયબળ જેવા સિધ્ધાંતો શીખવાડે છે, તેમજ બાળકોને ક્લાસરૂમની બહાર લઈ જઇ પણ ગણિત અને પર્યાવરણ વિષયની સમજ આપે છે. જેથી બાળકો થિયરીની સાથે પ્રેક્ટિકલ નોલેજ મેળવી સરળતાથી અને લાંબા ગાળા માટે કોઈ પણ નિયમો યાદ રાખી શકે. અને બાળકોમાં વિવિધ શક્તિઓનો વિકાસ થાય.

teachers in this school of Surat Preparing children for the outside world through value-based education
‘પ્રવૃતિયુક્ત અને પ્રગતિશીલ વિદ્યાર્થી માટે પ્રવૃત્તિમય શિક્ષકનું હોવું અનિવાર્ય છે’ આ વિચાર સાથે કાર્યરત માંડવી તાલુકાની વાડી સ્વતંત્ર પ્રા.શાળાના શિક્ષક ( School Teachers ) સુનિલભાઈ ચૌધરીએ રોજેરોજ પેકેટ ફૂડ ખાતા તેમની શાળાના વિદ્યાર્થીઓને સાચી સમજ અને યોગ્ય દ્રષ્ટાંત દ્વારા તંદુરસ્ત જીવનશૈલી માટે પ્રોત્સાહિત કર્યા અને સમય સાથે તાલ મિલાવી શાળાના પરિસરને પ્લાસ્ટિક મુક્ત ઝોન બનાવી બાળકોને સંપૂર્ણ મધ્યાહન ભોજનનો લાભ લેતા કર્યા. તેમણે બાળકોને પર્યાવરણ સાથે જોડવા અને શાળામાં પ્લાસ્ટિકનો નિષેધ કરવા શાળામાં ભેગી થતી બાયોડિગ્રેડેબલ દૂધની થેલીઓમાં છોડવા રોપવાની નવી પહેલ શરૂ કરી આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને પણ સામેલ કર્યા. તેઓ થેલી સહિતના રોપા સીધા જમીનમાં કે કુંડામાં વાવી શાળાના પ્રાંગણને હરિયાળું બનાવે છે. અને બાકીના રોપાઓને નજીકની શાળાઓમાં વિતરણ કરી અન્યોને પણ પ્રોત્સાહિત કરે છે.
આ સમાચાર પણ વાંચો: Express Train: ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી ડિવિઝન પર એન્જિનિયરિંગ કામને કારણે આ ટ્રેન આંશિક રીતે રહેશે રદ

teachers in this school of Surat Preparing children for the outside world through value-based education
શિક્ષક સુનિલભાઈ છેલ્લા બે વર્ષથી બાળકોના જન્મદિવસ નિમિત્તે બાળકોને શાળામાં ઉગાડેલા છોડ ભેટમાં આપે છે. બાળકોને ઔષધિય છોડનું જ્ઞાન મળે તે હેતુથી ઔષધિઓના લાભની સમજ આપતા બેનરો થડ સાથે ચીપકાવે છે. બાળકોને સૂકા કચરામાંથી ખાતર બનાવવા સહિતની વેસ્ટ માંથી બેસ્ટ ક્રિએટિવ પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓને રસ લેતા કર્યા છે.
વાવેતર બાદ બાળકો છોડનું જતન કરે તે માટે બાળકો તે છોડને ભાઈ કે બહેન બનાવી રાખડી બાંધે છે. બાળકોને છોડ ઉગાડવાથી લઈ વેચાણ સુધીનો ખર્ચ અને તેમાંથી મળતા નફાની સમજૂતી આપી વ્યવસાયલક્ષી જ્ઞાન આપવામાં આવે છે. આ વર્ષે સુનિલભાઈ બાળકોને કોકોપીટ, પાંદડા અન્ય વનસ્પતિ કચરામાંથી કુંડા બનાવવાનું શીખવાડશે, જે થકી સપ્ટેમ્બર માસના અંત સુધી ૭૦૦ જેટલા છોડોનો ઉછેર કરી આજુબાજુની શાળામાં ભેટ રૂપે આપવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.