News Continuous Bureau | Mumbai
Voting: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય, સુરત જિલ્લા વહીવટી તંત્ર અને નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આજે નવસારી લોકસભાનાં વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યાં છે.

Voting message given to the public by the Central Bureau of Communications
જે અંતર્ગત આજે નવસારી લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ ચોર્યાસી તાલુકાના ભીમપોર દરિયા કાંઠે સાંજે 5 વાગે મતદાર જાગૃતિ કાર્યક્રમનું ( Voter Awareness Programme ) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રજા માણવા આવેલા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. નાટક મંડળી દ્વારા લોકોને ચોક્કસ મતદાન કરી પોતાની ફરજનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી.

Voting message given to the public by the Central Bureau of Communications
જ્યારે બીજો કાર્યક્રમ ડુમસ દરિયા કાંઠે કરવામાં આવ્યો હતો. રવિવારની સાંજે અહીં મોટી સંખ્યામાં લોકો આવતા હોય તેમને મતદાનનાં મહત્વ અંગે જાણકારી આપવામાં આવી હતી. આદિવાસી કલાકાર વિકાસ મંડળ, અમદાવાદ દ્વારા નાટકની ભજવણી કરી મનોરંજનની સાથે સરળ ભાષામાં મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બંન્ને કાર્યક્રમમાં લોકોએ જાતિ, ધર્મ વગેરેથી બહાર આવી અચૂક મતદાન કરવા માટે શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન મતદાન મથકમાં રાખવામાં આવતી તકેદારી, ચૂંટણી પંચ ( Election Commission ) દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ મોબાઈલ એપ્લિકેશન જેવી કે સક્ષમ, વોટર હેલ્પલાઇન અને સી વિજિલ એપની જાણકારી આપવામાં આવી હતી.

Voting message given to the public by the Central Bureau of Communications
આ સમાચાર પણ વાંચો : Critical Minerals Summit : ખાણ મંત્રાલય આજથી બે દિવસીય ક્રિટિકલ મિનરલ્સ સમિટનું આયોજન કરશે
કાર્યક્રમના અંતે પ્રશ્નોતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતાઓને અતિથીઓના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં.

Voting message given to the public by the Central Bureau of Communications
આ કાર્યક્રમમાં સુરત ( Surat ) મનપાનાં આસી. કમિશ્નર અને સ્વીપ નોડલ અધિકારી અજય ભટ્ટ, હજીરા નિર્દિષ્ટ વિસ્તારના ચીફ ઓફિસર અર્જુનભાઈ વસાવા, ચૂંટણી ( Lok Sabha Elections ) શાખાનાં ડે. ઇજનેર સુનિલભાઈ રાજભોઈ, સિદ્ધાર્થ પ્રજાપતિ અને તેમની ટીમ તેમજ નેહરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક ગૌરવ પડાયા, મનોજ દેવીપૂજક અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્રીય સંચાર બ્યુરોના ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલા, રોશનભાઈ પટેલ અને અમૃતભાઈ સોનેરીએ જહેમત ઊઠાવી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.