News Continuous Bureau | Mumbai
Road Safety Awareness: ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ-૨૦૨૫’ અંતર્ગત ઉધનાની સનરાઈઝ વિદ્યાલય ખાતે માર્ગ સુરક્ષા જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રોડ સેફ્ટી ટ્રેનર બ્રિજેશ વર્માએ માર્ગ સલામતીની ઓડિયો વિઝ્યુઅલ ક્લિપ્સ સાથે પ્રેકટીકલ ડેમોસ્ટ્રેશનથી સમજ આપી હતી. આ સાથે લાયસન્સ વિના વાહનો ન ચલાવવા, શાળાએ આવતા ૧૮ વર્ષથી વધુની વયના વિદ્યાર્થીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવા અને વાલીઓને પણ કાર ચલાવતી વખતે સીટબેલ્ટ પહેરવા સૂચનો આપવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: Western Railway: યાત્રીગણ કૃપયા ધ્યાન દે, 1 ફેબ્રુઆરીથી થશે ગાંધીધામ -પાલનપુર એક્સપ્રેસના ટ્રેનના સમયમાં ફેરફાર, જાણી લો નવું સમયપત્રક
Road Safety Awareness: રોડ સેફ્ટી એજ્યુકેશન કાર્યક્રમ અંતર્ગત બાળકો અને વાલીઓમાં ટ્રાફિક જનજાગૃતિ આવે તે માટે પેમ્ફલેટસનું વિતરણ કરાયું હતું. સાથોસાથ ૫૦૦થી વધુ વિદ્યાર્થિઓ-શિક્ષકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે ટ્રાફિક રિજીયન-૧નાં એ.સી.પી. એ.એમ.પરમાર, પોલીસ ઇન્સ્પેકટર જે. એસ. ઝાબરે, પી.એસ.આઈ. એસ.જી.ભુવા, શાળાના ટ્રસ્ટી જયસુખભાઈ, એલ.આર.દિવ્યાબેન, વીરભદ્રસિંહ, નરેન્દ્રસિંહ, WLR વિલાસબા અટુભા તેમજ કામિની ડુમસવાલા સહિત શિક્ષકો, બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

