Site icon

Jammu Kashmir News: કાશ્મીરમાં આ વર્ષે 93 એન્કાઉન્ટર, સુરક્ષાદળોએ આટલા આતંકવાદીઓને માર્યા ઠાર..

One terrorist killed, another likely injured in fresh gunbattle in JandK's Rajouri

જમ્મુ-કાશ્મીર: બારામૂલા અને રાજૌરીમાં હજુ પણ અથડામણ ચાલુ, આટલા આતંકવાદી ઠાર મરાયા..

News Continuous Bureau | Mumbai

સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ( terrorists  ) વિરુદ્ધ વિશેષ અભિયાન શરૂ કર્યું છે. વર્ષ 2022 દરમિયાન એકલા ( Kashmir  ) કાશ્મીર ઝોનમાં કુલ 93 સફળ એન્કાઉન્ટર ( encounters  ) થયા છે. આ આતંકવાદી એન્કાઉન્ટરમાં કુલ 172 આતંકવાદીઓ માર્યા ( killed  ) ગયા છે. જેમાં 42 વિદેશી આતંકવાદીઓ પણ સામેલ છે.

કાશ્મીરના ADGPએ ટ્વિટર દ્વારા જણાવ્યું કે લશ્કર-એ-તૈયબા અને TRFના સૌથી વધુ 108 આતંકવાદીઓ માર્યા ગયા છે. જે બાદ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 35, એસએમના 22, અબ-બદરના 4 અને AGuH સંગઠનના 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે આતંકવાદી સંગઠનોની નવી ભરતીમાં 37 ટકાનો ઘટાડો નોંધાયો છે.

સુરક્ષા દળોના આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાનની અસર

છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં આતંકવાદી સંગઠનો ઘાટીમાં આતંક ફેલાવવા માટે સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. તે જ સમયે, સુરક્ષા દળોએ તેમના અભિયાનનો જડબાતોડ જવાબ આપ્યો છે. કાશ્મીર ઝોનના એડીજીપીએ કહ્યું કે, સુરક્ષા દળોની કાર્યવાહીને કારણે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે આતંકવાદી સંગઠનોમાં નવી ભરતીમાં 37 ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષે 74 આતંકવાદીઓ લશ્કરમાં જોડાયા છે, જેમાંથી 65 માર્યા ગયા છે. જેમાંથી 17 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 18 આતંકવાદીઓ હજુ પણ સક્રિય છે.

આ સમાચાર પણ વાંચો:  31st અને નવા વર્ષની ઊજવણી માટે મુંબઈ તૈયાર… શહેરમાં આ સ્થળોએ 11,500 પોલીસનો બંદોબસ્ત..

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોમાં ભરતી થયેલા આતંકવાદીઓના આંકડા માં મોટો ઘટાડો થયો છે. આ વર્ષે કાશ્મીરમાં માર્યા ગયેલા કુલ 65 નવા ભરતી થયેલા આતંકવાદીઓમાંથી, 58 (89 ટકા) જોડાયાના પહેલા મહિનામાં જ ઠાર કરવામાં આવ્યા હતા.

મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે

આ વર્ષે કાશ્મીર ઝોનમાં વિવિધ આતંકવાદી એન્કાઉન્ટર અને મોડ્યુલ પર્દાફાશ દરમિયાન કુલ 360 હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાંથી 121 એકે શ્રેણીની રાઈફલ, 8 એમ4 કાર્બાઈન અને 231 પિસ્તોલનો સમાવેશ થાય છે. આ સિવાય આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન મોટી માત્રામાં IED, સ્ટીકી બોમ્બ અને ગ્રેનેડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. જેના કારણે ઘણી આતંકી ઘટનાઓ ટળી હતી.

કાશ્મીરમાં 29 નાગરિકો માર્યા ગયા

આ વર્ષે કાશ્મીરમાં વિવિધ આતંકવાદી ઘટનાઓમાં સામાન્ય નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે. ADGP દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષ દરમિયાન આતંકવાદીઓએ 29 નાગરિકોને નિશાન બનાવ્યા છે. તેમાંથી 21 સ્થાનિક અને 8 અન્ય રાજ્યોના નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો:   શું દેવેન્દ્ર ફડણવીસને જેલમાં નાખવા માગતા હતા ઉદ્ધવ ઠાકરે? મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમનું ચોંકાવનારું નિવેદન

આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સ્થાનિક નાગરિકોમાં 3 કાશ્મીરી પંડિત અને 6 હિંદુઓ સહિત 15 મુસ્લિમોનો સમાવેશ થાય છે. સુરક્ષા દળોએ બાસિત દાર અને આદિલ વાની સિવાય આ આતંકવાદી ઘટનાઓમાં સામેલ તમામ આતંકવાદીઓને ઠાર માર્યા છે. પોલીસે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં બાકીના બે આતંકવાદીઓને પણ ઠાર કરવામાં આવશે.

Exit mobile version