ભારતીય મિડીયા ગપ્પુ ચલાવે છે.. એકેય દેશે ભારતીય કોરોના વેક્સીન મંગાવી નથી.. યુરોપના મિડીયાનો અહેવાલ…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

06 જાન્યુઆરી 2021 

BBC ના એક અહેવાલ મુજબ, કોવિડ-19 ની રસીને લઈ ભારતીય મીડિયા જુઠાણું ચલાવી રહી છે. જેનું કારણ આપ્યું છે કે, ચીફ એડિટર અને ઈન્ડિયા ટીવીના અધ્યક્ષ રજત શર્માએ 3 જાન્યુઆરીએ ટ્વીટ કર્યું હતું કે 190 દેશોએ ભારત દ્વારા બનાવાયેલી કોરોના રસી બુક કરાવી લીધી છે.  

આ લેખ લખાય ત્યાં સુધી 4,500 થી વધુ લોકોએ રજત શર્માના ટ્વીટને રીટ્વીટ કર્યું છે. બીજા એક ટ્વિટમાં તેમણે લખ્યું કે તેઓ ભારત બાયોટેકના કોવેક્સિન વિશે વાત કરી રહ્યા છે. 

 

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) એ તાજેતરમાં ભારત સીમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) દ્વારા બનાવવામાં આવેલ ભારત બાયોટેક અને ઓક્સફર્ડ-એસ્ટ્રા ઝેનેકા રસી (કોવિડશીલ્ડ) દ્વારા બનાવવામાં આવેલી રસીના મર્યાદિત ઉપયોગને મંજૂરી આપી છે. તેની અસર બતાવવા માટે  ફેઝ 3 ના ડેટા હજી જાહેર થયા નથી. 

ભારત બાયોટેક એકમાત્ર રસી છે જે ભારતમાં બનાવવામાં આવી છે. તે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીના સહયોગથી બનાવવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં આપેલા એક નિવેદનમાં ભારત બાયોટેકના પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર ડો.કૃષ્ણ અલ્લાએ એમ જણાવ્યું હતું કે, કંપનીનું "લક્ષ્ય" કોરોનાની રસી સમગ્ર વિશ્વમાં પહોંચાડવાની છે. આ પહેલાં જ 9 ડિસેમ્બરના રોજ, 70 દેશોના પ્રતિનિધિઓએ કંપનીના રિસર્ચ એકમની મુલાકાત લીધી હતી, પરંતુ આ પ્રવાસ પછી, 190 દેશોના બુકિંગ ઓર્ડર વિશે કોઈ સમાચાર મળ્યા નથી. પરંતુ તે પહેલાં જ એક બ્રિટિશ મિડિયા એ આ સમાચારને ખોટા હોવાનું જણાવી દીધું છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More