Site icon

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલો, સીઆરપીએફના બે જવાન ઘાયલ

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
19 ઓક્ટોબર 2020
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના ગંગૂ વિસ્તારમાં આજે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે પુલવામા જિલ્લાના ગંગૂ વિસ્તારમાં સીઆરપીએફ અને પોલીસ કર્મચારીઓ પર અચાનક ગ્રેનેડ હુમલો થયો હતો. જોકે સુરક્ષા દળોએ પણ, તાત્કાલિક જવાબી કાર્યવાહી કરી હતી. પરંતુ આતંકીઓ સ્થળ પરથી ભાગી છૂટયા હતા. આ હુમલામાં સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. હાલ સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે, અને આતંકીઓની શોધખોળ શરૂ કરી છે.  
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા રવિવારે ત્રાલ શહેરમાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફનો એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર ઘાયલ થયો હતો. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે કાશ્મીરમાં હજી પણ આશરે 200 આતંકવાદીઓ સક્રિય છે અને તેમાંના મોટાભાગના પાકિસ્તાનનાં બિન સ્થાનિક લોકો છે.

Join Our WhatsApp Community
Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version