Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીર: રાજૌરીમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ, આટલા જવાનો શહીદ, ઈન્ટરનેટ સેવા બંધ.. જુઓ વિડીયો..

5 Army personnel killed in blast triggered by terrorists during operation in J and K's Rajouri

5 Army personnel killed in blast triggered by terrorists during operation in J and K's Rajouri

News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં પાંચ જવાન શહીદ થયા છે. સેનાએ શુક્રવાર (5 મે) ના રોજ જણાવ્યું હતું કે રાજૌરી સેક્ટરમાં ચાલી રહેલા ઓપરેશન ત્રિનેત્રમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ સૈનિકોએ કમનસીબે સવારે તેમની ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. વહેલી સવારે બે જવાનો શહીદ થયા હતા. હજુ ઓપરેશન ચાલુ છે.

Join Our WhatsApp Channel

આર્મીના નોર્ધન કમાન્ડ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેના સૈનિકો આતંકવાદીઓના એક જૂથને ખતમ કરવા માટે સતત ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન ચલાવી રહ્યા છે, જેમણે ગયા મહિને જમ્મુ ક્ષેત્રના ભાટા ધુરિયાના ટોટા ગલી વિસ્તારમાં આર્મી ટ્રક પર હુમલો કર્યો હતો. નિવેદનમાં જણાવાયું છે કે રાજૌરી સેક્ટરના કાંડીના જંગલમાં આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ માહિતીના આધારે 3 મેના રોજ સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર

તેમાં કહેવામાં આવ્યું છે કે શુક્રવારે સવારે લગભગ 7.30 વાગ્યે, સર્ચ પાર્ટીએ એક ગુફામાં છુપાયેલા આતંકવાદીઓના જૂથને ઘેરી લીધું હતું. ખડકો અને ઢોળાવવાળા પર્વતીય વિસ્તારોથી ઘેરાયેલો આ વિસ્તાર ખૂબ જ ગાઢ જંગલ વિસ્તાર છે. જેના જવાબમાં આતંકીઓએ બ્લાસ્ટ કર્યો હતો. સેનાની ટીમમાં સામેલ બે સેનાના જવાન શહીદ થયા હતા અને એક અધિકારી સહિત ચાર જવાન ઘાયલ થયા હતા. ઘાયલોને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  મ્યાનમાર પોર્ટના વેચાણનો સોદો સંપ્પન

Prateek Yadav Lucknow Death। યાદવ પરિવારમાં શોકનું મોજું પ્રતીક યાદવનું શંકાસ્પદ સંજોગોમાં મોત, શું ઝેરી પદાર્થ બન્યું કારણ? લખનઉ પોલીસની ઊંડી તપાસ શરૂ
Monsoon 2026। શું આ વખતે વહેલું આવશે ચોમાસું? હવામાન વિભાગે કેરળમાં એન્ટ્રીની તારીખ જાહેર કરી, ગુજરાત સહિત ૫ રાજ્યોમાં વરસાદની આગાહી; અત્યારે જ જાણી લો લેટેસ્ટ અપડેટ
Energy Crisis| પીએમની અપીલ અને CMsના એક્શન ઈંધણ બચાવવા માટે ભાજપ શાસિત ૫ રાજ્યોમાં કડક નિયમો લાગુ
PM Modi SPG Convoy Reduction| કેમ પીએમ મોદીએ પોતાના જ કાફલામાં ઘટાડો કરવાની કરી જાહેરાત? સરકારી વિભાગોના બિનજરૂરી ખર્ચ પર વાગશે કાતર; જાણો શું છે માસ્ટર પ્લાન
Exit mobile version