Site icon

સરકાર અને વિપક્ષ આમને-સામને: રાજ્યસભામાં હંગામા પર પહેલીવાર એક સાથે 8 કેન્દ્રીય મંત્રીઓએ યોજી પ્રેસ કોન્ફરન્સ, સરકારે વિપક્ષ પર કર્યા આ પ્રત્યારોપ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે રાજ્યસભામાં હંગામો કરવા પર સરકાર અને વિપક્ષ વચ્ચે વાકયુદ્ધ ચાલુ છે. 

કોંગ્રેસના આરોપો બાદ હવે સાત કેન્દ્રીય મંત્રીઓએ પત્રકાર પરિષદ યોજી પલટવાર કર્યો છે. 

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, ચોમાસુ સત્ર દરમિયાન જે રીતે રસ્તાથી લઈને સંસદ સુધી અરાજકતા જોવા મળી છે, વિપક્ષે દેશની માફી માંગવી જોઈએ. 

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સંસદને કામ ન કરવા દેવાનો નિર્ણય પૂર્વ આયોજિત હતો. તેમણે કહ્યું કે ઘટનાઓ જે ક્રમમાં બની તે દૃશ્યથી સ્પષ્ટ છે.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે જે રીતે રૂલ બુક ફાડવામાં આવી તે અધ્યક્ષ સ્થાન પરનો હુમલો જ હતો મહિલા સુરક્ષા કર્મીઓને ઘાયલ કરવામાં આવ્યા હતા તથા કેટલાક સભ્યો ગૃહમાં ટેબલ પર ચડી ગયા હતા. 

આ મંત્રીઓમાં પીયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, પ્રહ્લાદ જોશી, અનુરાગ ઠાકુર, ભુપેન્દ્ર યાદવ, અર્જુન રામ મેઘવાલ અને વી મુરલીધરન સામેલ છે.

 સંસદ બની અખાડો! વિપક્ષે કરી ધમાલ, સાંસદો અને માર્શલ વચ્ચે થઈ ઝપાઝપી; જુઓ વીડિયો

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version