Site icon News Continuous Bureau | Mumbai

Sheikh Hasina Corruption: ભ્રષ્ટાચારનો પર્દાફાશ: શેખ હસીનાના લોકરમાંથી ૯ કિલો સોનું અને કિંમતી ઘરેણાં મળી આવતા રાજકીય ગરમાવો!

સરકારી એજન્સીઓએ શેખ હસીનાના બેન્ક લોકર્સમાંથી 9 કિલોથી વધુ સોનાના ઘરેણાં અને મોંઘી ભેટો મળવાનો દાવો કર્યો; ભ્રષ્ટાચારના નવા કેસ દાખલ થવાની તૈયારી.

Sheikh Hasina Corruption ભ્રષ્ટાચારનો પર્દાફાશ શેખ હસીનાના લોકરમાંથી

Sheikh Hasina Corruption ભ્રષ્ટાચારનો પર્દાફાશ શેખ હસીનાના લોકરમાંથી

News Continuous Bureau | Mumbai

Sheikh Hasina Corruption બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જ કોર્ટે તેમને માનવતા વિરુદ્ધના અપરાધ બદલ દોષી ઠેરવી મોતની સજા સંભળાવી હતી, જેના આધારે બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારત સરકારને તેમના પ્રત્યાર્પણની માંગ કરી છે. હવે, શેખ હસીના વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને આવક કરતાં વધુ સંપત્તિના નવા કેસ દાખલ થવાની તૈયારી છે.

Join Our WhatsApp Channel

લોકર્સમાંથી શું-શું મળ્યું?

બાંગ્લાદેશના એન્ટી કરપ્શન કમિશન (એસીસી) એ શેખ હસીનાથી સંબંધિત સંપત્તિઓની તપાસ તેજ કરી દીધી છે. બાંગ્લાદેશની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ સેલ અને નેશનલ બોર્ડ ઑફ રેવન્યુએ તાજેતરમાં શેખ હસીનાના બેન્ક લોકર્સની તપાસ કરી હતી. બાંગ્લાદેશી એજન્સીઓનો દાવો છે કે શેખ હસીનાના બે લોકર્સમાંથી 9 કિલોથી વધુ સોનાના ઘરેણાં અને વડાપ્રધાન પદ પર રહેતા મળેલા મોંઘા ગિફ્ટ્સ મળી આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે આમાંથી ઘણી વસ્તુઓને વડાપ્રધાન પદ પર રહેતા કે તે પછી, જાહેર કરવામાં આવી નહોતી.

એસીસી (ACC) હવે શું કરશે?

એન્ટી કરપ્શન કમિશન (એસીસી) હવે આ મામલે કેસ દાખલ કરીને વિસ્તૃત તપાસ કરવાની તૈયારી કરી રહ્યું છે. એસીસીની તપાસનું મુખ્ય ધ્યાન સંપત્તિના આવકના સ્ત્રોત પર રહેશે. એજન્સી એ પણ તપાસ કરશે કે પૂર્વ વડાપ્રધાને આ સંપત્તિઓને કાયદેસર પ્રક્રિયા મુજબ પોતાની સંપત્તિ જાહેર કરી હતી કે નહીં. આ ઉપરાંત, શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન કોઈ નાણાકીય ગેરરીતિ થઈ હતી કે કેમ, તેની પણ તપાસ કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો, એસીસી પૂર્વ વડાપ્રધાન વિરુદ્ધ બે થી ત્રણ નવા કેસ દાખલ કરવાની તૈયારીમાં છે.

આ સમાચાર પણ વાંચો : Dharmendra Untold Family Story: પ્રકાશ કૌરનો મોટો ખુલાસો: “સનીએ ક્યારેય હેમા માલિની પર હુમલો નથી કર્યો,” ધર્મેન્દ્રના પરિવારની અનકહી સત્ય ઘટના

શેખ હસીના અને અવામી લીગની મુશ્કેલીઓ

વિદ્યાર્થીઓના આરક્ષણ વિરોધી આંદોલન બાદ શેખ હસીનાને ભારતમાં શરણ લેવી પડી હતી. મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના થયા બાદ શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહીનો સિલસિલો ચાલુ છે. બાંગ્લાદેશમાં હાલત એવા છે કે અવામી લીગનો લગભગ દરેક મુખ્ય નેતા કોઈને કોઈ મામલે નાણાકીય તપાસના દાયરામાં છે. શેખ હસીના અને તેમની પાર્ટીના નેતાઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના અનેક કેસ વચગાળાની સરકારે ખોલી નાખ્યા છે. નવા કેસથી તેમની મુશ્કેલીઓ વધુ વધવાની સંભાવના છે.

Mahakal Mandir Viral Ring Ceremony| બાબા મહાકાલના દરબારમાં નિયમોના ધજાગરા ગર્ભગૃહ પાસે કપલે એકબીજાને પહેરાવી વીંટી; સિક્યોરિટી એજન્સીને ફટકારાયો મોટો દંડ!
Tiffany Trump Akshardham Temple Delhi।ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી પર ચઢ્યો ભારતીય સંસ્કૃતિનો રંગ પતિ સાથે પહોંચી અક્ષરધામ મંદિર, ભવ્યતા જોઈ કહી દીધી આ મોટી વાત!
Bank Holidays June 2026 List। જૂન મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં રજાઓનો ભડાકો, શનિવારરવિવાર સહિત આટલા દિવસો સામેલ
India Secret Plan Strait of Hormuz| હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતે એક્ટિવ કર્યો ‘સીક્રેટ પ્લાન’! ખાડી દેશોમાં ફસાયેલા ૧૩ ભારતીય જહાજોને બહાર કાઢવા મોટું ઓપરેશન
Exit mobile version