Site icon

પેટ્રોલ સસ્તું થવાની ભીતિએ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના પેટમાં ફાળ પડી, જીએસટીની મિટિંગ પહેલાં જ પોતાનો વિરોધ દર્શાવ્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. તેમના દરને નિયંત્રણમાં મૂકવા માટે કેટલાક દિવસથી એને જીએસટીના ઘેરામાં લાવવાની માગણી થઈ રહી છે. મોદી સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવા માટે જીએસટી પરિષદની બેઠકનું આજે આયોજન કર્યું છે. આ મિટિંગ પહેલાં જ મહારાષ્ટ્રના ઉપમુખ્ય પ્રધાન અજિત પવારે વાંધો ઉઠાવ્યો છે. 

અજિત પવારે કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલ પર એક જ ટૅક્સ લાગુ કરવાની વાતો થઈ રહી છે, જ્યારે કે રાજ્ય સરકારને સ્ટૅમ્પ ડ્યૂટી, એક્સાઇઝ ડ્યૂટી અને જીએસટીમાંથી રાજસ્વ મળે છે. એથી અમે તેને પૂર્વવત્ રાખવા માગીએ છીએ. પેટ્રોલને જીએસટીના ઘેરામાં લાવીને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના અધિકારોમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ.

લ્યો બોલો ભારતની ૧૦ ટકા ધનિક આખા વ્યક્તિઓ દેશની ૫૦ ટકા સંપત્તિ પર માલિકી ધરાવે છે;જાણો વિગત

 એટલું જ નહીં, આ બેઠક વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા પણ થઈ શકે છે, તો લખનઉમાં કેમ યોજાઈ છે? આ બાબતે પણ તેમણે વાંધો ઉઠાવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના રાજસ્વને ભારે નુકસાન થશે. આ નુકસાન વિશે બેઠકમાં ચર્ચા થવાની આશા છે. એ પહેલાં જ કેન્દ્રનો વિરોધ શરૂ થઈ ગયો છે.

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version