Site icon News Continuous Bureau | Mumbai

‘ઓક્સિજનના અભાવથી કોઈનું મોત નથી થયું’ તેમ કહેનાર કેન્દ્રએ હવે રાજ્યો પાસેથી માંગ્યા મોતના આંકડા.. જાણો શું છે સરકારનો પ્લાન

ઓક્સિજનના અભાવથી કોઈના મોત થયા નથી તેવું સંસદમાં કહેનાર કેન્દ્ર સરકારે હવે રાજ્યો પાસેથી ઓક્સિજનની અછતથી મરનાર લોકોના આંકડા માંગ્યા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી કોરોનોની બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવથી કેટલા લોકોના મોત થયા છે તે અંગેના સાચા ડેટા માંગ્યા છે. 

Join Our WhatsApp Channel

કહેવામાં આવી રહ્યું છે કે આ આંકડા ચોમાસું સત્ર 13 ઓગસ્ટના રોજ પૂરા થતાં પહેલાં સરકાર સંસદના ટેબલ પર મૂકવામાં આવશે. 

નોંધપાત્ર વાત એ છે કે, આ વર્ષની શરૂઆતમાં, કોરોના ચેપના કેસમાં મોટા પ્રમાણમાં વધારો થવાને કારણે, દેશની આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે ખરડાયેલી જોવા મળી હતી. 

દેશભરની હોસ્પિટલોમાં બેડ, દવાઓ અને રસીની સાથે ઓક્સિજનના અભાવથી પરિસ્થિતિ વધુ વણસી હતી અને દેશના અનેક રાજ્યોમાં ઓક્સિજનના અભાવને કારણે ઘણા કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

મમતા બેનરજી મુખ્યમંત્રી બન્યા પછી પીએમ મોદીને પહેલી વખત મળ્યા, લગભગ 40 મિનિટ સુધી ચાલી બેઠક ; આ મુદ્દા પર થઈ ચર્ચા 

PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Floods MEA Update નેપાળ પૂર સંકટ પર MEA નું સત્તાવાર નિવેદન ૨૮૮ ભારતીયો સંપર્કવિહોણા, ૨૧ ને સુરક્ષિત બચાવાયા
National Law School Convocation Cancelled CJI અને BCI અધ્યક્ષના વિરોધનું પરિણામ? નેશનલ લો સ્કૂલે ૩૪મો દીક્ષાંત સમારોહ કેમ પડતો મૂક્યો?
Exit mobile version